HBD APJ Abdul Kalam : `મિસાઇલ મેન` સાથે સંકળાયેલી આ વાતો તમે નહીં જાણતા હોય

15 October, 2021 08:49 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને સફળ વૈજ્ઞાનિક ડૉ. એપીજી કલામની આજે પુણ્યતિથિ છે. તો ચાલો તેમની કેટલીક અજાણી વાતો વિશે જાણીએ.

ડૉ. એપીજે અબ્દુલ કલામ

" સપને વો નહી હોતે જો આપકો સોને કે બાદ આતે હૈ, સપને વો હૈ જો આપકો સોને નહી દેતે...."

આ બે લાઈનોમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામ (Dr.APJ Abdul kalam)એ પુરી જીંદગીનો અર્થ સમજાવી દીધો છે. આ એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ છે. મિસાઈલ મેન નામથી જાણીતા ડૉ.એપીજે અબ્દુલ કલામની જીંદગી આપણે શીખવે છે કે મહેનત અને પ્રમાણિકતાના દમ પર માણસ કેવી રીતે મુલ્કનો સૌથી મોટો હોદ્દો પ્રાપ્ત કરી શકે છે અને સખત મહેનત અને પ્રમાણિકતાના આધારે તમામ અવરોધને ટાળી પોતાના દમ પર આગળ વધી શકાય છે. કલામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની જીંદગીની સફરને ફરીથી વાગોળવાની અને સમજવાની જરૂર છે, કારણ કે જ્યારે જ્યારે તમે એપીજે અબ્દુલ કલામની જીંદગીની સફર વિશે વાંચશો તો તેમને જીંદગીમાં આગળ વધવાની પ્રેરણા અને હિંમત મળશે. 

 `મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા`

એપીજે અબ્દુલ કલામે (Dr.APJ Abdul kalam) 1998 માં થયેલા પોખરણ -2 પરમાણુ પરિક્ષણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પરિક્ષણમાં તેમણે વૈજ્ઞાનિકોની ટીમનું નેતૃત્વ કર્યું હતુ. આ સિવાય તેઓ ભારતના અવકાશ કાર્યક્રમ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમ સાથે પણ સંકળાયેલા હતા. મિસાઇલ પ્રોજેક્ટ્સમાં તેમના યોગદાન બદલ તેમને `મિસાઇલ મેન`તરીકે ઓળખવામાં આવે છે.

‘મિસાઇલ મેન ઓફ ઈન્ડિયા’તરીકે જાણીતા એપીજે અબ્દુલ કલામે  (Dr.APJ Abdul kalam) 2002 થી 2007 સુધી ભારતના 11 મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. એપીજે અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક અને વિચારક હતા. તેમનું પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામ હતું. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ એક મુસ્લિમ પરિવારમાં તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. એપીજે અબ્દુલ કલામનું 27 મી જુલાઈ, 2015 ના રોજ મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ પર, તેના જીવન સાથે સંબંધિત કેટલીક બાબતો પર નજર કરીએ. 

 

apj abdul kalam national news