08 May, 2025 09:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે
પહલગામ આતંકવાદી હુમલાના ૧૫ દિવસ બાદ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આતંકવાદી અડ્ડાઓ પર ઑપરેશન સિંદૂર ચલાવીને ભારતે બદલો લીધો છે ત્યારે ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, પિક્ચર અભી બાકી હૈ. ભૂતપૂર્વ આર્મી ચીફની આ પોસ્ટથી લોકો વિચારમાં પડી ગયા છે. સૂત્રો જણાવે છે કે ભારતીય સુરક્ષા દળો દ્વારા ફરી એક વાર પાકિસ્તાન પર કાર્યવાહી થઈ શકે એમ છે. જોકે આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.