28 March, 2024 10:30 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
US weighs in on Congress: અમેરિકાએ હવે કૉંગ્રેસના ફ્રીઝ બેન્ક અકાઉન્ટ મામલે નિવેદન આપ્યું છે. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું કે અમેરિકા દરેક મુદ્દા માટે નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાયદાકીય પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપે છે.
ભારતે કડક વાંધો દર્શાવ્યા બાદ પણ અમેરિકાએ ફરી એકવાર ભારતના આંતરિક મામલે ટિપ્પણી કરી છે. પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને અને હવે અમેરિકાનએ કૉંગ્રેસ પાર્ટીના ફ્રીઝ બેન્ક અકાઉન્ટને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે.
US weighs in on Congress: અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું કે અમેરિકા દરેક મુદ્દા માટે નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાયદાકીય પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેમણે કહ્યું, "તે કોઈ ખાનગી રાજનાયક વાતચીત વિશે વાત નથી કરી રહ્યા, પણ ચોક્કસ રીતે તે નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાયદાકીય પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેમણે એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે કોઈને આ મામલે વાંધો ન હોવો જોઈએ."
કેજરીવાલ મામલે પણ આપ્યું હતું નિવેદન
જણાવવાનું કે, આ પહેલા અમેરિકા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે પણ નિવેદન આપી ચૂક્યું છે. અમેરિકાની ટિપ્પણી બાદ ભારતે આ મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલય (MEA) ના અધિકારીઓએ યુએસ મિશનના કાર્યકારી નાયબ વડા, ગ્લોરિયા બાર્બેનાને દિલ્હીમાં સાઉથ બ્લોકમાં તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. (US weighs in on Congress)
ભારત તરફથી સખત વાંધો વ્યક્ત કરાયો
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ માટે ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહન આપ્યું હતું. આ પછી, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર સખત વાંધો ઉઠાવે છે.
`ખોટી મિસાલ સેટ થઈ શકે છે`
US weighs in on Congress: વિદેશ મંત્રાલય દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે મુત્સદ્દીગીરીમાં બીજાની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તદુપરાંત, લોકશાહીના કિસ્સામાં આ જવાબદારી પણ વધારે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આમ ન કરવાથી ખોટી મિસાલ સ્થાપિત થઈ શકે છે.
કયા કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ?
અગાઉ, ભારતે દિલ્હીમાં જર્મન મિશનના ડેપ્યુટી ચીફને પણ બોલાવ્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ પર તે દેશના વિદેશ મંત્રાલયની ટિપ્પણી પર સખત વિરોધ નોંધાવ્યો હતો. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલની દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.
નોંધનીય છે કે દિલ્હી લિકર પૉલિસી કેસમાં જેમની ધરપકડ થઈ છે તે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે કોર્ટમાં દિલ્હી લિકર નીતિમાં મળેલાં નાણાં ક્યાં રાખ્યાં છે એની જાણકારી આપશે એવું તેમનાં પત્ની સુનીતા કેજરીવાલે ગઈ કાલે એક વિડિયો-મેસેજમાં કહ્યું હતું.અરવિંદ કેજરીવાલને મંગળવારે સાંજે મળ્યા બાદ સુનીતા કેજરીવાલે ગઈ કાલે વિડિયો-મેસેજમાં કહ્યું હતું કે ‘મેં અરવિંદજીની જેલમાં મુલાકાત કરી હતી. બે દિવસ પહેલાં તેમણે દિલ્હીની જળ ખાતાની પ્રધાન અતિશીને મેસેજ મોકલ્યો હતો અને એમાં કહ્યું હતું કે પાણી અને સિવેજની સમસ્યાનું સમાધાન થવું જોઈએ.’
લિકર કૌભાંડ મુદ્દે બોલતાં સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે ‘અરવિંદજીએ મારી સાથેની વાતચીતમાં કથિત શરાબ કૌભાંડમાં બે વર્ષમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ૨૫૦થી વધારે રેઇડ પાડી હોવાનું કહ્યું હતું, પણ તેમનું કહેવું છે કે કોઈ પણ છાપામારીમાં નાણાં મળ્યાં નથી. તેમણે મનીષ સિસોદિયા, સંજય સિંહ તેમ જ સત્યેન્દ્ર જૈનના ઘરે રેઇડ પાડી. તેમને કંઈ મળ્યું નહીં. તેમણે અમારા ઘરે રેઇડ પાડી જેમાં માત્ર ૭૩,૦૦૦ રૂપિયા મળ્યા છે. તો શરાબ કૌભાંડનાં નાણાં ક્યાં ગયાં? અરવિંદજીએ મને કહ્યું છે કે ગુરુવારે તેઓ કોર્ટમાં આ નાણાં ક્યાં છે એની જાણકારી આપશે.’