25 June, 2019 08:44 AM IST | નવી દિલ્હી
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર
પાકિસ્તાનના રાવલપિંડીસ્થિત મિલિટરી હૉસ્પિટલમાં થયેલા બ્લાસ્ટમાં આતંકવાદી મસૂદ અઝહર ઘાયલ થયો હોવાના અહેવાલ છે. જૈશ-એ મોહમ્મદના સુપ્રીમો મસૂદ અઝહર રાવલપિડીંની મિલિટરી હૉસ્પિટલમાં સામેલ છે અને સોશ્યલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે રવિવારે સાંજે સૈન્ય હૉસ્પિટલમાં બ્લાસ્ટ થયો અને એમાં મસૂદ અઝહર સહિત ૧૦ લોકો ઘાયલ થયા છે. ક્વેટાના એક માનવાધિકાર કાર્યકર્તા અહેસાન મિયાખલીએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ મીડિયાને આ ઘટના કવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ પણ વાંચો : હરિયાણામાં ચાઉમીન ખાતાં ત્રણ વર્ષના બાળકનાં ફેફસાં ફાટી ગયાં
તેઓએ એવો પણ દાવો કર્યો છે કે આતંકવાદી મસૂદ અઝહર પણ એ હૉસ્પિટલમાં દાખલ છે અને બ્લાસ્ટમાં ઘાયલ થયો છે. જણાવી દઈએ કે મસૂદ અઝહર ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે.