11 May, 2022 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ પવઈમાં આરે કૉલોનીના ભીમનગરમાં રહેતો ૧૫ વર્ષનો ગૌતમ ભીમરાવ પાંચાળ ગરમીથી બચવા સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યે પવઈ તળાવમાં નહાવા પડ્યો હતો, પણ પાણીની ઊંડાઈનો તેને અંદાજ ન આવતાં ડૂબી ગયો હતો. તે મુલુંડ સાઇડ તળાવમાં હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને તળાવમાંથી બહાર કાઢીને તેને તરત જ મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
મુલુંડ પોલીસે ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો અને તેના પરિવારને પણ જાણ કરી હતી.
મુલુંડ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી કેસની વધુ તપાસ હાથ ધરી હતી. દીકરાનું મૃત્યુ થતાં પાંચાળ પરિવાર દુઃખમાં ડૂબી ગયો.