સફળતાનો કોઈ શૉર્ટકટ નથી: નવનીત ગ્રુપના ડિરેક્ટર શરદ કાચલિયા

07 January, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સફળતાનો કોઈ શૉર્ટકટ નથી: નવનીત ગ્રુપના ડિરેક્ટર શરદ કાચલિયા

શરદ કાચલિયા

૧૯૫૯ની ૧૪ એપ્રિલે જન્મેલા શરદ લીલાધર કાચલિયા નવનીત ગ્રુપના ડિરેક્ટર છે. તેમના કાર્યક્ષેત્ર હેઠળની કેટલીક બ્રૅન્ડ્સમાં બીએમડબ્લ્યુ, જૅગ્વાર લૅન્ડ રોવર અને ફરારીનો સમાવેશ થાય છે. ભારત તેમ જ વિદેશમાં તેઓ ઑટોમોબાઇલ ઉદ્યોગ ક્ષેત્રે નામના ધરાવે છે. ઑટોમોબાઇલ વિશ્વમાં તેમણે મેળવેલા અનુભવ અને જ્ઞાન બદલ તેઓ તેમના સમકક્ષોમાં ભારે આદરભર્યું સ્થાન ધરાવે છે. તેમને તાજેતરમાં ઍક્ઝમ્પ્લરી કાૅન્ટ્રીબ્યુશન ઇન ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

તેમને હંમેશાંથી કાર અને વૈભવી જીવનશૈલીની ચીજવસ્તુઓ સહિતની બાબતો પ્રત્યે લગાવ રહ્યો છે. તેઓ મળતાવડો સ્વભાવ ધરાવે છે અને તેમને મળનારા લોકો પર તેઓ ઘેરી છાપ છોડી જાય છે, જેને પગલે તેઓ વ્યાવસાયિક વ્યવહારો કરવા સક્ષમ છે. નવનીત ગ્રુપમાં ઇમ્પોર્ટેડ કાર બ્રૅન્ડ્સના સમાવેશ અને આ સાહસમાં સાંપડેલી સફળતા શરદનાં કૌશલ્યોને આભારી છે.સાથે જ તેમનું માનવું છે કે સફળતાનો કોઈ શૉર્ટકટ નથી.

mumbai mumbai news