સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં ઓળંગી મર્યાદા, આ નેતાનું નામ સાંભળી થૂંક્યા જમીન પર

02 June, 2023 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતની એક નાનકડી કૃત્ય શિષ્ટતાની લક્ષ્મણ રેખાને પાર કરી ગઈ છે. શુક્રવારે મુંબઈ (Mumbai)માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે સંજય રાઉત(Sanjay Raut)ને એક સવાલ પૂછવામાં આવ્યો હતો.

સંજય રાઉત

રાજકારણમાં એકબીજા પર તીર મારવાનું સામાન્ય બાબત છે. લગભગ દરેક નેતા તેના વિરોધીને તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરીને તેના પર હુમલો કરીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. રાજકારણમાં એક અલિખિત નિયમ છે કે તમારા વિરોધીની ટીકા કરતી વખતે શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ. ઓછામાં ઓછા મોટા અને અનુભવી નેતાઓ પાસેથી આની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતની એક નાનકડી કૃત્ય શિષ્ટતાની લક્ષ્મણ રેખાને પાર કરી ગઈ છે. શુક્રવારે મુંબઈ (Mumbai)માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે સંજય રાઉત(Sanjay Raut)ને એક સવાલ પૂછવામાં આવ્યો તો તે સવાલનો જવાબ આપવાને બદલે સંજય રાઉત જમીન પર થૂંક્યા.

શું છે સમગ્ર મામલો?

શુક્રવારે સવારે 10 વાગ્યે સંજય રાઉતના ઘરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે સંજય રાઉતને પૂછ્યું કે મુખ્યમંત્રીના પુત્ર શ્રીકાંત શિંદેએ કહ્યું કે તેણે શિવાજી મહારાજ પર રાજનીતિ કરી. તેને આજે ગરમાવો સહન નથી થતો એટલે જ તે વિદેશ ગયા છે? પત્રકારે આ સવાલ પૂછતા જ સંજય રાઉતે વચ્ચે પડીને કહ્યું કોણ બોલ્યું? પત્રકારે જણાવ્યું કે શ્રીકાંત શિંદેએ આ વાત કહી છે. શ્રીકાંતનું નામ સાંભળીને સંજય રાઉત જમીન પર થૂંક્યા અને બીજા પત્રકાર તરફ જોવા લાગ્યા.

સંજય રાઉતનું આ કૃત્ય જોઈ ત્યાં હાજર પત્રકારો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે સંજય રાઉત માત્ર અનુભવી સંસદસભ્ય જ નથી પરંતુ સામના અખબારના કાર્યકારી તંત્રી પણ છે. લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે મર્યાદાનું પાલન કરવું જોઈએ તે અંગે તેઓ સંપૂર્ણપણે વાકેફ છે. આમ છતાં મુખ્યમંત્રીના પુત્રનું નામ સાંભળીને આ રીતે થૂંકવું કેટલા અંશે યોગ્ય છે!

આ પણ વાંચો: છત્રપતિ સંભાજી મહારાજના નામ પરથી રાખશે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું નામ

સંજય રાઉતના પગલાનો વિરોધ થઈ રહ્યો છે

શ્રીકાંત શિંદે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર છે. શ્રીકાંત મહારાષ્ટ્રના સંસદસભ્ય છે અને વ્યવસાયે ડૉક્ટર છે. જ્યારથી શિવસેનામાં વિભાજન થયું ત્યારથી તેઓ તેમના પિતાની શિવસેનાને આગળ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. સંજય રાઉત દ્વારા આ રીતે થૂંકવાનો મામલો સીએમના પુત્રનું નામ સાંભળીને જ જોર પકડે છે. શાસક નેતાઓ રાઉતના કૃત્યની ટીકા કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે સંજય રાઉત તેમના વર્તન માટે માફી માંગે.

mumbai news maharashtra sanjay raut eknath shinde