26 April, 2021 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એનસીપીના પ્રમુખ શરદ પવાર
એનસીપીના પ્રમુખ શરદ પવારના મોઢાનું અલ્સર દૂર કરવા તેમના પર મુંબઈની એક હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી હોવાનું ગઈ કાલે જણાવતાં પક્ષના પ્રવક્તા નવાબ મલિકે વધુમાં ઉમેર્યું હતું કે ૮૦ વર્ષના નેતાનું સ્વાસ્થ્ય હવે સારું છે અને તેઓ ટૂંક સમયમાં પ્રવૃત્તિમય થઈને પોતાની કામગીરી સંભાળશે.
ચાલુ મહિનાના પ્રારંભમાં શરદ પવારે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પિત્તાશયનું ઑપરેશન કરાવ્યું હતું. સર્જરી બાદ હૉસ્પિટલની મુલાકાત લઈને સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવતાં તેમને મોઢામાં અલ્સર હોવાની જાણ થઈ હતી, જે હવે દૂર કરાયું છે.
શરદ પવારની તબિયત સારી છે અને તેઓ હૉસ્પિટલમાં આરામ કરવા સાથે રોજબરોજ રાજ્યમાં કોરોનાવાઇરસના પ્રસારની વિગતો પર લક્ષ આપી રહ્યા છે તેમ જ તેઓ ટૂંક સમયમાં કાર્યરત થશે એમ નવાબ મલિકે કહ્યું હતું. આ અગાઉ શરદ પવારે પથરીનું ઑપરેશન કરાવ્યું હતું.