`બીજા શું કહે છે તેની પરવા નથી, અમે જાણીએ છીએ કે અમે શું કરી રહ્યા છીએ`

09 May, 2023 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શરદ પવાર (NCP Leader Sharad Pawar)ની રાજીનામાંની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. હજી તો માહોલ ઠંડો થયો નથી ત્યાં ફરી શરદ પવારનું એક નિવેદન સામે આવ્યું છે. જાણો શું કહ્યું એનસીપી નેતાએ..

NCP નેતા શરદ પવાર

NCP નેતા શરદ પવાર (NCP Leader Sharad Pawar)છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જે દિવસે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારથી રાજકારણમાં ધમાસાણ શરૂ થઈ ગઈ હતી. લોકોએ NCPના નવા નેતૃત્વને લઈ અટકળો લગાવતાં દેખાયા હતાં. હજી માહોલ ઠંડો નથી પડ્યો ત્યાં શરદ પવારનું  નવું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમણે અને તેમની પાર્ટીના નેતાઓને ન તો બીજા લોકો શું કહેશે એનો ફર્ક પડે છે કે ન તો આવા કોઈ લેખોને મહત્વ આપે છે, કારણ કે તેમને ખબર છે કે તે શું કરી રહ્યાં છે. 

શું છે સમગ્ર મામલો
એનસીપીનું નેતૃત્વ કરવા માટે તેમના અનુગામી શોધવામાં શરદ પવારની નિષ્ફળતાનો દાવો શિવસેના (યુબીટી) દ્વારા કરવામાં આવ્યો હતો. આ પછી શરદ પવારે આ વાત કહી. તેમણે કહ્યું કે તેઓ અને તેમના પક્ષના નેતાઓ અન્ય લોકો શું કહે છે તેની પરવા કરતા નથી અને તેઓ આવા લેખોને કોઈ મહત્વ આપતા નથી કારણ કે તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. પવારે મંગળવારે સતારામાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને આ વાત કહી.

તેમણે કહ્યું કે NCPમાં દરેક વ્યક્તિ જાણે છે કે પાર્ટીને કેવી રીતે આગળ લઈ જવી, અને તેઓ જાણે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ કેવી રીતે બનાવવું. સોમવારે શિવસેના (UBT)ના મુખપત્ર `સામના`ના સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો હતો કે પવાર તેમના પક્ષને આગળ લઈ શકે તેવા અનુગામી શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. `સામના` એ એવો પણ દાવો કર્યો હતો કે એનસીપીના નવા અધ્યક્ષ નક્કી કરવા માટે રચાયેલી સમિતિમાં કેટલાક એવા સભ્યોનો સમાવેશ થાય છે જેઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સાથ આપવા ઇચ્છુક હતા, પરંતુ આ સભ્યો એનસીપીના કાર્યકરોના દબાણને કારણે પવારને પદ પર યથાવત રહેવા કહેવું પડયું. 

આ પણ વાંચો: અધ્યક્ષપદ માટે બંધારણ બદલનારા ક્યારેય પદ છોડી ન શકે

NCP એ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનનો મુખ્ય ઘટક છે. જ્યારે `સામના`માં ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પવારે કહ્યું, "જો કોઈ લખે છે કે અમને નવું નેતૃત્વ મળ્યું કે નહીં, તો અમે તેને મહત્વ આપતા નથી. તે (લખવું) તેમનો વિશેષાધિકાર છે પરંતુ અમે તેને મહત્વ આપીશું નહીં. અમે તેને અવગણીશું. અમે જાણીએ છીએ કે અમે શું કરી રહ્યા છીએ, અને અમે તેનાથી સંતુષ્ટ છીએ." 

mumbai news maharashtra sanjay raut sharad pawar nationalist congress party