લોકસભામાં મળેલી ઓછી બેઠકોની ભરપાઈ વિધાનસભા વખતે કરી લઈશું : NCPના નેતા પ્રફુલ પટેલ

09 May, 2024 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે વધુ બેઠકોની માગણી કરી હતી, પણ મહાયુતિમાં ત્રણ પક્ષોને બેઠકો ફાળવવાની હોવાથી બેઠકોની વહેંચણી વખતે મુશ્કેલી પડે છે

પ્રફુલ પટેલની ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટી સાથે મહાયુતિમાં જોડાયા બાદ પહેલી ચૂંટણી સાથે મળીને લડી રહેલા  નૅશ​નલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા પ્રફુલ પટેલે કહ્યું છે કે મહાયુતિમાં લોકસભાની ચૂંટણીમાં ચાર જ બેઠકો પર અમને ઉમેદવારી મળી છે, પણ હવે વિધાનસભા વખતે જેટલી વધુ મળે એટલી બેઠકો પર ઉમેદવાર ઊભા રાખીશું, લોકસભાની કસર વિધાનસભામાં પૂરી કરીશું. પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીનો સારાસાર વિચાર કરી અમે ઓછી બેઠકો પર લડવા તૈયાર થયા. અમે વધુ બેઠકોની માગણી કરી હતી, પણ મહાયુતિમાં ત્રણ પક્ષોને બેઠકો ફાળવવાની હોવાથી બેઠકોની વહેંચણી વખતે મુશ્કેલી પડે છે એથી અમે એનો વિચાર કરી ઓછી બેઠકો પર સમાધાન માન્યું છે.’

mumbai news praful patel nationalist congress party Lok Sabha Election 2024 maharashtra