31 March, 2023 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
આ દિવસોમાં પશ્ચિમ રેલ્વે પર લોકોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજકાલ અહીંની કેટલીક ટ્રેનો સમય પહેલા સ્ટેશન પર પહોંચી રહી છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, લોકલ ટ્રેનો (Local Train) મોડી દોડવાની સમસ્યા હજુ પણ યથાવત છે, પરંતુ સમય પહેલા છોડવી તેના કરતા મોટી સમસ્યા બની ગઈ છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે મુંબઈ (Mumbai Local )ના લોકોએ રેલવે પ્રશાસનને અપીલ કરી છે.
8 મિનિટ વહેલી પહોંચી ટ્રેન
ચર્ની રોડ સ્ટેશનથી સવારે 7:08 વાગ્યે ઉપડતી ડેઈલી વિરાર ફાસ્ટ ટ્રેન લગભગ 8 મિનિટ પહેલાં સ્ટેશન પહોંચે છે. સવારે 6:56 વાગ્યે, તે સૂચક પર બતાવવામાં આવે છે કે ટ્રેન 4 મિનિટમાં પહોંચવાની છે. નિમિષ માલદેએ ટ્વિટર પર લખ્યું કે 10:51 AM વિરાર લોકલ સવારે 10:47 વાગ્યે બાંદ્રા સ્ટેશન પહોંચે છે. આ લોકલ 4-5 મિનિટ વહેલા પહોંચી રહી છે.
રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપનગરીય નેટવર્ક પરની ટ્રેનોને 3 મિનિટનો ફ્રી સમય આપવામાં આવે છે, જે ગંતવ્ય સ્થાન પર પહોંચવા પર પણ એડજસ્ટ કરવામાં આવે છે. જો લોકલ 3 મિનિટ વહેલા સ્ટેશન પર પહોંચે છે, તો બની શકે કે તે પછીના કોઈ પણ સ્ટેશન પર ઊભી રહી તો સ્ટેશન પર 1-2 મિનિટ મોડી પહોંચવાની શક્યતા છે. દર વર્ષે જાહેર થતાં સત્તાવાર ટાઈમ ટેબલમાં આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Kanpur Fire: કાનપુર માર્કેટમાં ફાટી નિકળી આગ, દુકાનો બળીને ખાખ,10 અબજનું નુકસાન
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતીય રેલ્વેમાં ટ્રેક ડબલિંગ, ઇલેક્ટ્રિફિકેશન અને ટ્રેક મજબૂત કરવાના ઘણા કામો કરવામાં આવી રહ્યા છે. તેનાથી લાંબા અંતરની ટ્રેનોની સ્પીડ વધી છે. જ્યારે આ ટ્રેનો મુંબઈમાં પ્રવેશે છે, ત્યારે લોકલ ટ્રેનોને સમય સમાયોજિત કરવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવે છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે લાંબા અંતરની ટ્રેનોની સમયની પાબંદીનું રેલ્વે બોર્ડ સ્તરે નિરીક્ષણ કરવામાં આવે છે, તેથી કોઈ જોખમ લેવા માંગતું નથી.