05 October, 2022 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રિનશોટ્
દશેરાની સવારે મુંબઈ (Mumbai)થી દુ:ખદ ઘટના સામે આવી છે. બાંદ્રા વર્લી સી લિંક (Bandra Worli Sea Link Accident)પર ચાર કાર અને એક એમ્બ્યુલન્સ એકસાથે ટકરાઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે, 12 લોકો સહેજ ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હજુ વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
અકસ્માત કેવી રીતે થયો
મળતી માહિતી અનુસાર, બાંદ્રા વરલી સી લિંક પર એક વાહન પહેલેથી જ ક્રેશ થયું હતું, જેના માટે ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ આ પહેલા એમ્બ્યુલન્સમાં ઘાયલોને લઈ જતા વધુ ત્રણ વાહનો એમ્બ્યુલન્સ અને પહેલાથી જ અથડાઈ ગયેલા વાહન સાથે અથડાયા હતા. જે બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી હતી. જે બાદ રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારબાદ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ પણ મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે લોકોના મોતથી મને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.
અકસ્માતમાં ત્રણની હાલત ગંભીર
આ અકસ્માતમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો દરેકને બચાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આ સિવાય પોલીસે હવે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ડીસીપી (ઝોન 3) એ પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે "અમે અકસ્માતના CCTV ફૂટેજ તપાસ્યા છે અને એવું લાગે છે કે એમ્બ્યુલન્સની નજીક રાહ જોઈ રહેલા લોકો પર એક વાહન ટકરાઈ ગયું. અમે વધુ વિગતો મેળવવા માટે ઘાયલોના નિવેદનો નોંધવાની પ્રક્રિયામાં છીએ."