માથેરાનમાં શરૂ થઈ ઈ-રિક્ષા

06 December, 2022 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે પહેલા દિવસે પાંચ ઈ–રિક્ષા દસ્તૂરીથી ઉપર માથેરાન સુધી પ્રવાસીઓને લઈને દોડી હતી

માથેરાનમાં ઈ-રિક્ષા

મુંબઈગરાના ફેવરિટ પર્યટન-સ્થળ માથેરાનમાં પ્રાયોગિક ધોરણે પ્રવાસીઓ માટે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી છે. ગઈ કાલે પહેલા દિવસે પાંચ ઈ–રિક્ષા દસ્તૂરીથી ઉપર માથેરાન સુધી પ્રવાસીઓને લઈને દોડી હતી. હાલમાં ૩ મહિના એ દોડાવવામાં આવશે. સહેલાણીઓ અને સ્થાનિક લોકો દ્વારા કેવો રિસ્પૉન્સ મળે છે એ જોયા પછી એને આગળ ચાલુ રાખવી કે નહીં એનો નિર્ણય લેવામાં આવશે.   

mumbai mumbai news matheran