મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી આવતા વર્ષથી ફરી શરૂ કરવામાં આવશે

17 December, 2021 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો વસાવવા ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે

રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન અમિત દેશમુખ

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજ શાહે મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને એની સવલતો ફરી શરૂ કરવા રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન અમિત દેશમુખને રજૂઆત કરી હતી. એ રજૂઆતને ગંભીરતાથી લઈને અમિત દેશમુખે આવતા વર્ષથી એટલે કે ૨૦૨૨માં એ અકાદમીની નવી કમિટી રચીને એને ફરી કાર્યાન્વિત કરવાનો આદેશ તેમના સેક્રેટરીને આપ્યો હતો. 
આ બાબતે હેમરાજ શાહે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ પહેલાં થતી જ હતી. પહેલાં એ માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવતા હતા એ વધારીને ૩૫ લાખ રૂપિયા કરાયા છે. એ અંતર્ગત સાહિત્યનું જતન થાય એ માટે નવા ઊભરતા લેખકોને અને કવિઓને તેમનાં પુસ્તકો છપાવવા પ્રિન્ટિંગખર્ચે પેટે ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો વસાવવા ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે.’

mumbai mumbai news