Mumbai Local Train: ચર્ચગેટ-વિરાર મુસાફરોમાટે સમાચાર, ટ્રેનના સમયમાં થયો ફેરફાર

31 December, 2022 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ (Mumbai)ની લાઈફલાઈન સમાન મુંબઈ લોકલ ટ્રેન(Mumbai Local Train)ના સમયમાં કેટલાક બદલાવ થવા જઈ રહ્યાં છે.

ટ્રેનના સમયમાં થયો ફેરફાર

મુંબઈ (Mumbai)ની લાઈફલાઈન સમાન મુંબઈ લોકલ ટ્રેન(Mumbai Local Train)ના સમયમાં કેટલાક બદલાવ થવા જઈ રહ્યાં છે. કેટલીક મેલ એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર થયો હોવાથી મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનનો સમય પ્રભાવિત થશે. મુંબઈની ત્રણ ઉપનગરીય સેવાઓના સમયમાં 31 ડિસેમ્બરથી બદલાવ જોવા મળશે. 

ચર્ચગેટથી દહાનુ જતી લોકલ ટ્રેન હવે સવારે 5:24ના બદલે 5: 17 વાગ્યે શરૂ થશે જ્યારે દહાનુથી વિરાર જતી ટ્રેન સવારે 11: 35ના બદલે બપોરે 12: 50ના ચાલશે. આ સિવાય પણ હજી એક ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો:એસી લોકલમાં પ્રવાસીઓ થાય છે જરૂર કરતાં વધારે ઠંડા-ઠંડા, કૂલ-કૂલ

બપોરે 12:30 કલાકે દહાનુ-વિરાર લોકલ ટ્રેન હવે બે મિનિટ વહેલી શરૂ થશે એટલે કે હવે 12:28 કલાકે આ ટ્રેન ઉપડશે. આમ, મેલ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં બદલાવ આવવાથી આ ત્રણ લોકલ ટ્રેનનાં સમયમાં પણ ફેરફાર થયો છે. 

 

mumbai news mumbai local train