કાંદિવલીમાં મહાવીરનગરના કમલા વિહારમાં આગ

08 March, 2024 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલા કમલા વિહાર બિલ્ડિંગના છઠ્ઠા માળે ગઈ કાલે બપોરે ૨.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી.

કાંદિવલીમાં મહાવીરનગરના કમલા વિહારમાં આગ

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલા કમલા વિહાર બિલ્ડિંગના છઠ્ઠા માળે ગઈ કાલે બપોરે ૨.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા અને આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી. તરત જ આ બાબતે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં હાઇરાઇઝ બિલ્ડિંગ હોવાને કારણે છ ફાયરએન્જિન ધસી ગયાં હતાં. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઈ જાનહાનિના કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.

kandivli mumbai news fire incident mumbai