25 January, 2021 09:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાનો સાધતા કહ્યું કે કંગના રણોતને મળવાનો સમય છે પણ ખેડૂતોને મળવાનો નહીં.
ખેડૂતોનું આંદોલન આજે સતત 61મા દિવસે દિલ્હીની સીમાઓ પર ચાલુ છે. આ દરમિયાન આજે ખેડૂતોના સમર્થનમાં મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોની રેલી થઈ. આ રેલીમાં પહોંચેલા એનસીપી પ્રમુખ શરદ પવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાનો સાધ્યો.
તેમણે કહ્યું કે, "મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવા રાજ્યપાલ નથી મળ્યા. ખેડૂતો આજે મુંબઇમાં છે પણ રાજ્યપાલ ગોવા ચલ્યા ગયા. રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય છે પણ ખેડૂતોને મળવાનો સમય નથી."
પવારે કહ્યું કે મુંબઇ શહેર દેશનો મહત્વનો શહેર છે આઝાદીની લડાઇમાં પણ મુંબઇની મુખ્ય ભૂમિકા હતી. આ લડાઇ સરળ નથી. જેમના હાથમાં સરકાર છે તેમને ખેડૂતોની કોઇ ચિંતા નથી. આટલા દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે પણ પીએમ મોદીએ અત્યાર સુધી ખેડૂતોના સમાચાર સુદ્ધાં નથી લીધા.