ટ્રેન-મૅનેજરોના હંગામાને કારણે CSMT પર લોકલ ટ્રેનો ખોરવાઈ

14 May, 2026 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે સેફ્ટી સર્ક્યુલર સામે વર્ક ટુ રૂલ આંદોલન શરૂ કર્યું, ૩ ટ્રેન પીક અવર્સમાં જ રદ

પ્રતીકાત્મક તસવીર

ટ્રેન-મૅનેજરોના આંદોલનને કારણે બુધવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર લોકલ ટ્રેનોની સર્વિસને અસર થઈ હતી. ટ્રેન-મૅનેજરોએ તાજેતરમાં જાહેર કરેલા રેલવે સેફ્ટી સર્ક્યુલર સામે વર્ક ટુ રૂલ વિરોધ શરૂ કર્યો હતો. એને કારણે ૩ લોકલ ટ્રેન રદ કરવામાં આવી હતી, જેને કારણે પીક અવર્સ દરમ્યાન મુસાફરોને અગવડ પડી હતી.

રેલવે-અધિકારીઓના જણાવ્યા અનુસાર સેફ્ટી સર્ક્યુલર રજૂ થયા પછી વિરોધ શરૂ થયો હતો. ટ્રેનના ગાર્ડ્સ જેમને ટ્રેન-મૅનેજર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની કાર્યપદ્ધતિમાં ફેરફાર સૂચવતા આ સર્ક્યુલરને કારણે વિવાદ થયો હતો.

વિરોધ-પ્રદર્શનના ભાગરૂપે CSMT પર કેટલાક ટ્રેન-મૅનેજરોએ સંચાલનના નિયમો અને પ્રક્રિયાઓનું કડક પાલન કરવાનું શરૂ કર્યું હતું, જેને કારણે લોકલ નેટવર્ક પર ટ્રેનો ધીમી પડી હતી.
રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિરોધ કરી રહેલા ટ્રેન-મૅનેજરો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેમની માગણી પૂરી કરવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રેન-વ્યવહાર ધીમે-ધીમે સામાન્ય બન્યો હતો.’ 

mumbai news mumbai central railway mumbai local train chhatrapati shivaji maharaj terminus csmt