પહલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં આજે ભાઈંદર બંધનું એલાન

27 April, 2025 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેડિકલ સ્ટોર અને દૂધની ડેરીને બાકાત રાખવામાં આવ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

પહલગામમાં અત્યંત ક્રૂરતાથી પાકિસ્તાની આતંકવાદીઓએ હિન્દુ ટૂરિસ્ટોની હત્યા કરી એના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધમાં તમામ દેશપ્રેમી અને ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને ભારતના હિતમાં સ્વેચ્છાએ બંધમાં સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. બંધમાં મેડિકલ સ્ટોર અને દૂધની ડેરીને બાકાત રાખવામાં આવ્યાં છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભાઈંદર જિલ્લાના મંત્રી લાલજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરી છે. આ પરિષદ દ્વારા પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધની હાકલ કરવામાં આવી છે. સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ત્યાર બાદ ભાઈંદર-ઈસ્ટના ગોડદેવ નાકા ખાતે હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે શ્રદ્ધાંજલિ સભા થશે.’ 

mumbai news mumbai Pahalgam Terror Attack mira bhayandar municipal corporation bhayander