નીતિન ગડકરી પરના આક્ષેપો ખોટા : બાળ ઠાકરે

20 October, 2012 06:14 AM IST  | 

નીતિન ગડકરી પરના આક્ષેપો ખોટા : બાળ ઠાકરે

તેમના આવા આક્ષેપોથી ગડકરીના ગઢના કાંકરા પણ ખરવાના નથી. કેજરીવાલ ઍન્ડ કંપનીએ નીતિન ગડકરી પર બૉમ્બ નાખવાના છે એવા ન્યુઝ મિડિયામાં ફેલાવી દીધા, પણ તેમના આ ન્યુઝથી સાદો ફટાકડો પણ ફૂટ્યો નથી.’

અરવિંદ કેજરીવાલે રાજકીય વ્યક્તિઓ પર આક્ષેપો કરીને પ્રસિદ્ધિ મેળવવાનો ધંધો ચાલુ કરી દીધો હોવાનું જણાવીને બાળ ઠાકરેએ કહ્યું હતું કે ‘રાળેગણ સિદ્ધિના અણ્ણા હઝારે હાથમાં કોઈ પણ કાગળિયું લઈને મારા હાથમાં પુરાવા લાગ્યા છે કહીને મોટી-મોટી હાંકતા અને એકાદ પર વરસી પણ જતા, પરંતુ એથી આગળ તેઓ કંઈ કરી શકતા નહીં. અરવિંદ કેજરીવાલ પણ આ બાબતમાં અણ્ણા હઝારેના ચેલા જ છે.’