20 October, 2012 06:14 AM IST |
અરવિંદ કેજરીવાલે રાજકીય વ્યક્તિઓ પર આક્ષેપો કરીને પ્રસિદ્ધિ મેળવવાનો ધંધો ચાલુ કરી દીધો હોવાનું જણાવીને બાળ ઠાકરેએ કહ્યું હતું કે ‘રાળેગણ સિદ્ધિના અણ્ણા હઝારે હાથમાં કોઈ પણ કાગળિયું લઈને મારા હાથમાં પુરાવા લાગ્યા છે કહીને મોટી-મોટી હાંકતા અને એકાદ પર વરસી પણ જતા, પરંતુ એથી આગળ તેઓ કંઈ કરી શકતા નહીં. અરવિંદ કેજરીવાલ પણ આ બાબતમાં અણ્ણા હઝારેના ચેલા જ છે.’