થાઇલૅન્ડના વડા પ્રધાને પણ ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો ફગાવી દીધો

15 December, 2025 08:47 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કહ્યું હતું કે આ કદાચ ગેરસમજ છે, ટ્રમ્પે ખોટો દાવો કર્યો હતો કે અમે ગોળીબાર બંધ કરવા સંમત થયા હતા.

અનુતિન ચાર્નવિરાકુલ

થાઇલૅન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે થાઇલૅન્ડ અને કમ્બોડિયા વચ્ચે યુદ્ધવિરામ કરારમાં મધ્યસ્થી કરવાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના દાવાને ફરીથી નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આ કદાચ ગેરસમજ છે, ટ્રમ્પે ખોટો દાવો કર્યો હતો કે અમે ગોળીબાર બંધ કરવા સંમત થયા હતા.

ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત ૮ યુદ્ધ રોકાવ્યાં છે અને આ માટે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર છે. તાજેતરમાં થાઇલૅન્ડ અને કમ્બોડિયા બન્નેએ એકબીજા પર હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ટ્રમ્પે આ બન્ને દેશો વચ્ચે શાંતિકરારમાં મધ્યસ્થી કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ સિદ્ધિને વિશ્વ સમક્ષ રજૂ કરીને એને તેમની સૌથી મોટી રાજદ્વારી જીત ગણાવી હતી. કરાર પર હસ્તાક્ષર થયા પછી તરત જ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અનેક પોસ્ટ કરી હતી. તેમનું કહેવું હતું કે ફક્ત હું જ આ કરી શકું છું, અન્ય કોઈ નેતા કે પ્રશાસનમાં દાયકાઓ જૂના આ સંઘર્ષને ઉકેલવાની ક્ષમતા નથી. 

international news world news thailand donald trump united states of america social media