થાઇલેન્ડ-કમ્બોડિયા યુદ્ધ: કમ્બોડિયાએ થાઇલેન્ડના F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું

25 July, 2025 06:58 AM IST  |  Bangkok | Gujarati Mid-day Online Correspondent

Thailand Cambodia War: થાઇલેન્ડ અને કમ્બોડિયાની સરહદ પર ભીષણ લડાઈ ચાલુ છે. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા. કંબોડિયાના રોકેટ હુમલાના જવાબમાં, થાઇલેન્ડે F-16 ફાઇટર જેટથી ફ્નોમ પેન્હ પર હુમલો કર્યો છે.

થાઇલેન્ડ કમ્બોડિયા સરહદ વિવાદ (તસવીર સૌજન્ય: એજન્સી)

થાઇલેન્ડ અને કમ્બોડિયાની સરહદ પર ભીષણ લડાઈ ચાલુ છે. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. દરમિયાન, કમ્બોડિયાના રોકેટ હુમલાના જવાબમાં, થાઇલેન્ડે F-16 ફાઇટર જેટથી ફ્નોમ પેન્હ પર હુમલો કર્યો છે. થાઇલેન્ડે ગુરુવારે 6 F-16 ફાઇટર જેટથી કમ્બોડિયા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કમ્બોડિયાએ એક થાઇ ફાઇટર જેટને તોડી પાડ્યું હતું.

કંબોડિયન પીએમએ કહ્યું- થાઈ સેનાએ યુદ્ધ શરૂ કર્યું
કમ્બોડિયાના તા મુએન થોમ મંદિર, તા ક્રાબેઈ મંદિર, મોમ બેઈ વિસ્તાર અને પ્રેહ વિહાર મંદિરની આસપાસ હુમલા કરવામાં આવ્યા છે. સવારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થળોને સંઘર્ષના મુખ્ય બિંદુઓ તરીકે ઓળખવામાં આવ્યા છે. કંબોડિયન નેતૃત્વનું કહેવું છે કે થાઈ સેનાએ હુમલો કર્યો હતો, જે તેમના દ્વારા જાહેર કરાયેલ "ચકપોંગ ફુવનાટ લશ્કરી વ્યૂહરચના" હેઠળનો પહેલો મોટો હુમલો છે. વડા પ્રધાન હુન માનેટે કહ્યું કે થાઈ દળોએ ઓદાર મીંચે પ્રાંતમાં સ્થિત કંબોડિયન સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો અને પછી હુમલાનો વ્યાપ મોમ બેઈ વિસ્તાર સુધી લંબાવ્યો. "કમ્બોડિયા હંમેશા શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાના પક્ષમાં રહ્યું છે, પરંતુ આ વખતે અમારી પાસે બળથી જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો."

સરકાર દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કરી રહી છે
પીએમે વધુમાં કહ્યું કે કંબોડિયન સરકાર, સેના અને વહીવટીતંત્ર સંપૂર્ણ તાકાતથી રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરી રહ્યા છે. તે જ સમયે, થાઈ હુમલાઓથી પ્રભાવિત નાગરિકોને સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. સેનેટ પ્રમુખ હુન સેને પણ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે થાઈ સેનાએ 23 જુલાઈના રોજ તા મુએન થોમ મંદિર બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેના એક દિવસ પછી હુમલાઓ શરૂ થયા. "કંબોડિયન સેના પાસે હવે બદલો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી."

પીએમ હુન સેને દેશને આ અપીલ કરી હતી. થાઇલેન્ડ હુમલાઓને ધ્યાનમાં રાખીને, કમ્બોડિયાના પીએમ હુન સેને નાગરિકોને ગભરાટ, રાશનનો સંગ્રહ અથવા કિંમતોમાં વધારો ટાળવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું, "ઓદાર મીંચે અને પ્રેહ વિહાર પ્રાંતના સરહદી વિસ્તારો સિવાય, અન્ય તમામ વિસ્તારોમાં સામાન્ય જીવન જાળવવું જોઈએ." દરમિયાન, અહેવાલ મુજબ, થાઈ સેનાએ ફરીથી "ચકપોંગ ફુવાનત લશ્કરી વ્યૂહરચના" લાગુ કરી છે. આ એ જ વ્યૂહરચના છે જેનો ઉપયોગ 2008 અને 2011 વચ્ચે પ્રેહ વિહાર મંદિર વિવાદ દરમિયાન કરવામાં આવ્યો હતો.

કંબોડિયન પત્રકારનો દાવો
કંબોડિયન પત્રકાર સોઇ સોફીપના જણાવ્યા અનુસાર, થાઇલેન્ડે 6 F-16 ફાઇટર જેટથી યુદ્ધક્ષેત્રો પર બૉમ્બમારો કર્યો છે. કંબોડિયન સેનાનો દાવો છે કે તેમણે એક થાઈ ફાઇટર જેટને તોડી પાડ્યું છે. સરહદ પર પરિસ્થિતિ અત્યંત તંગ છે અને બંને પક્ષોએ સામાન્ય લોકોને શાંતિ જાળવવા અને સરકાર પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે.

thailand cambodia bangkok international news news gujarati mid day