18 May, 2025 12:03 PM IST | Balochistan | Gujarati Mid-day Correspondent
બલૂચ નેતા રઝાક બલૂચ
બલૂચ નેતા રઝાક બલૂચે એક વિસ્ફોટક દાવો કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓએ બલૂચિસ્તાનના ૮૦ ટકાથી વધુ ભાગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. એક ટીવી-ચૅનલ સાથેની મુલાકાતમાં બલૂચ અમેરિકન કૉન્ગ્રેસના સેક્રેટરી જનરલ રઝાક બલૂચે દાવો કર્યો હતો કે ‘પાકિસ્તાની દળો સાંજ પછી ક્વેટા છોડતાં ડરે છે. ચૂંટાયેલા પાકિસ્તાની અધિકારીઓએ પણ આ પરિસ્થિતિ સ્વીકારી છે અને સુરક્ષાના ડરને કારણે લશ્કર સાંજે પાંચ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી પૅટ્રોલિંગ કરવાનું ટાળે છે. બંગલાદેશ જેવી પરિસ્થિતિ બનવાની રાહ જોવા કરતાં પાકિસ્તાને સમયસર ગૌરવ સાથે બલૂચિસ્તાનમાંથી પાછા હટી જવું જોઈએ.’
આ મુદ્દે વધુમાં બોલતાં રઝાક બલૂચે કહ્યું હતું કે ‘પાકિસ્તાને ૭૦થી ૮૦ ટકા વિસ્તાર પર નિયંત્રણ ગુમાવી દીધું છે અને અમે ભારત અને અમેરિકાને બલૂચ સંઘર્ષને ટેકો આપવા વિનંતી કરી છે. જો ભારત અમને ટેકો આપે છે તો અમારા દરવાજા ખૂલી જશે.’