ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના ગૌરવ સમા રત્નોનું સન્માન

01 May, 2019 10:02 AM IST  |  ગાંધીનગર

ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના ગૌરવ સમા રત્નોનું સન્માન

ગુજરાતના રત્નોનું થશે સન્માન

રાજ્યના 60 રત્નોને આજે સન્માનવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બિહાર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. જે. એન. ભટ્ટ અને પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, દ્વારકેશલાલજી મહારાજ અને કર્નલ કિરીય જોશીપુરા હાજર રહેશે. આ કાર્યક્રમ જે. બી. ઑડિટોરિયમ હૉલમાં થશે.

આ રત્નો થશે સન્માનિત

ગુજરાત ગૌરવ રત્ન અવૉર્ડ કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, ગુજ્જુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા, ગઝલકાર મનહર ઉધાસ, નૃત્યકાર કુમુદીની લાખિયા, સાંઈરામ દવે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નેહા મહેતા અને એન્ટરપ્રાઈઝિંગ ઈન્ડિયનના યુવા ફાઉન્ડેર ભાવેશ ઉપાધ્યાયને આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના ગૌરવ સમા રત્નોનું સન્માન

આમનું પણ થશે સન્માન

ડૉ. તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી. ઉકાણી, ડૉ. સુધિર શાહ, ચેતન તપાડીઆ, ડૉ. બી.વી.દોશી, હેમુ ગાંધી, ડૉ. અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, ડૉ. વિષ્ણુ પંડ્યા, નારાયણભાઇ કણજરીયા, શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, ડૉ. રૂપેશ વસાણી, રત્ના આલા, ગુરુજી જી. નારાયણા, જીતેન્દ્રસિંગ ચૌહાણ, સંજય ઓઝા, મુખ્તાર શાહ, અરવિંદ વેગડા, બંકિમ પાઠક, પ્રફુલ દવે, ભાગવદ રૂષિ, કવિ રાજેન્દ્ર શુક્લ, યોગેશ ભાવસાર, એન.કે.પટેલ, ગીરીશ દાણી, અનુષ્કા પરીખ, ડૉ. રાજીવ શાહ, ડૉ. અલ્કા બેંકર, ડૉ. મનીષ બેંકર, શરદ ખાંડેકર, સુધિર ખાંડેકર, ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, ડૉ. ઉર્મન ધ્રુવ, યજ્ઞેશ પંડ્યા, ડૉ. રાજેન્દ્ર શાહ, સુરેશ પટેલ, આશિષ શેઠ, ઉમંગ ઠક્કર, રાજ મોહન મોદી, યોગેશ હીંગોરાની,  ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રી, ગેનાભાઇ પટેલ, મુક્તા પી. ડગલી, જોરાવરસિંહ ડી. જાદવ, કનુભાઇ ટેલર, ડૉ. રઘુવીર ચૌધરી, યુસુફ કાપડિયા, દેવેન્દ્ર પટેલ, ડૉ. પ્રવિણ દરજી, હરીશ ભીમાણી, માધવ રામાનુજ, રજની જી. પટેલને પણ આજે ગુજરાત ગૌરવ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે.