Chaturgrahi Yog: સેલેરી હોય કે શેરબજાર... 100 વર્ષ બાદ રચાઇ રહેલો યોગ અપાવશે આ રાશિઓને ફાયદા

22 April, 2024 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Chaturgrahi Yog: હવે ૨૩ તારીખે આવો જ એક યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મંગળ પણ 23 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કરશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ગ્રહ ચોક્કસ સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં પોરિભ્રમણ કરતાં હોય છે. તેટલું જ નહિ ત્યારે આ ગ્રહો ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ (Chaturgrahi Yog) પણ બનાવતા હોય છે. હવે ૨૩ તારીખે આવો જ એક ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 

તમને જણાવી દઈએ કે આ ચતુર્ગ્રહી યોગમાં ધનનો અધિપતિ એવો શુક્ર, વ્યાપારનો અધિપતિ બુધ, ચમત્કારોનો અધિપતિ રાહુ ગ્રહ હવે મીન રાશિમાં એકસાથે પ્રવેશ કરવાના છે આ જ કારણોસર મંગળ પણ 23 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

શું આ યોગ શુભ કહેવાય છે?

તમને ખાસ જણાવી દઈએ કે આ યોગ (Chaturgrahi Yog)ના કારણે  અમુક રાશિઓનાં જાતકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. તેની સાથે આ રાશિના જાતકોની સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. તો પછી જાણી જ લઈએ કે કઈ રાશિઓને આ યોગને કારણે લાભ થવાનો છે?

વૃષભ રાશિ: 

સૌ પ્રથમ તો વૃષભ રાશિના જાતકો માટે આ ચતુર્ગ્રહી યોગ શુભકારક નીવડી શકે છે. ખાસ તો આ યોગ વૃષભ રાશિના લોકોની સેલેરીમાં પણ વૃદ્ધિ કરાવશે એવું જણાઇ રહ્યું છે. સાથે જ આ રાશિના જાતકો માટે આર્થિક વૃદ્ધિનાં પણ સંકેત છે. આ યોગને કારણે જે કોઈ બિઝનેસમાં સમસ્યાઓ આવી હતી તે દૂર થઇ શકે છે. આ સાથે જ શેર બજાર, સટ્ટા અને લોટરી કરતાં જાતકો માટે પણ શુભકારક હોય શકે છે.

મિથુન રાશિ: 

મિથુન રાશિના જાતકો માટે સુદ્ધાં ચતુર્ગ્રહી યોગ લાભદાયી નિવડે તેમ છે. આ જાતકોની કુંડળીમાં કર્મની સ્થિતિમાં આ યોગ (Chaturgrahi Yog) તૈયાર થઈ રહ્યો હોવાથી તેઓને લાભ મળવાનો છે. આ રાશિના લોકો આ સમય દરમિયાન જે પણ કાર્ય કરે છે તેમાં સફળતા મેળવી શકશે. એવા પણ યોગ બની રહ્યા છે કે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ આ યોગને કારણે સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

કર્ક રાશિ:

Chaturgrahi Yog: આર્થિક વૃદ્ધિની સાથે જ કર્ક રાશિના જાતકો માટે આ યોગનો જો પ્રભાવ પડશે તો તે છે પરિવાર પર. તેઓનો પરિવાર સાથે પ્રેમ વધશે. સરવાળે ઘરનું વાતાવરણ એકદમ હર્યુંભર્યું બની શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. મહેનતથી આવકના નવા રસ્તા ખુલવાનો પણ યોગ છે. 

ધન રાશિ:

ચતુર્ગ્રહી યોગ આ રાશિના જાતકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ યોગ (Chaturgrahi Yog) આ રાશિથી ચોથા ભાવમાં બનવા જઈ રહ્યો છે. માટે જ આ સમયે આ રાશિના જાતકોને ભૌતિક સુખ મળી શકે છે. તમે વાહન અને મિલકત પણ ખરીદી શકો છો. આ સિવાય તમને આ સમયગાળા દરમિયાન પૈતૃક સંપત્તિનો લાભ પણ મળશે.

(ડિસ્ક્લેમર: ઉપરોક્ત લેખ માહિતીપ્રધાન હોઇ ગુજરાતી મિડડે ડૉટ કૉમ આપેલ તથ્યોની પુષ્ટિ આપતું નથી)

astrology life and style