15 May, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભગવાન વિષ્ણુ
જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી (Apara Ekadashi 2023) કહેવાય છે. આ વર્ષે અપરા એકાદશી 15 મે, 2023, સોમવારના રોજ એટલે કે આજે છે. તેને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અપરા એકાદશી વ્રત ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને શ્રી હરિ વિષ્ણુ (Lord Vishnu)અને મા લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે.
શુભ મુહૂર્ત
જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 15 મે 2023ના રોજ સવારે 02:46 કલાકે શરૂ થઈ રહી છે.
બીજા દિવસે આ તારીખ 16 મે, 2023 ના રોજ સવારે 01:03 વાગ્યે સમાપ્ત થશે.
15 મેના રોજ ઉદયા તિથિ આવી રહી છે, તેથી આ દિવસે અપરા એકાદશી વ્રત રાખવામાં આવશે.
અપરા એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારની તકલીફોમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ વ્રત કરે છે તેમની બધી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. તેની સાથે જ સુખ-સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. જો કે દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે, પરંતુ અપરા એકાદશી ખાસ કરીને શુભ અને લાભકારી માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિને અપરા એકાદશી કહેવામાં આવે છે.
આ પણ વાંચો: શસ્ત્રો આવ્યા પછી યુદ્ધના નિયમો બદલાયાં
ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની વિશેષ પૂજા માટે સમર્પિત અપરા એકાદશીનું ધાર્મિક મહત્વ ઘણું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. જે આ વ્રત રાખે છે તેને જીવનમાં અપાર પ્રગતિ થાય છે અને મોક્ષ પણ મળે છે. હિન્દીમાં `અપાર` શબ્દનો અર્થ `અમર્યાદ` છે, કારણ કે આ વ્રત કરવાથી વ્યક્તિને અમર્યાદિત સંપત્તિ પણ મળે છે, આ કારણથી આ એકાદશીને `અપરા એકાદશી` કહેવામાં આવે છે. આ એકાદશીનો બીજો અર્થ એ છે કે તે તેના ઉપાસકને અમર્યાદિત લાભ આપે છે. અપરા એકાદશીનું મહત્વ `બ્રહ્મ પુરાણ`માં જણાવવામાં આવ્યું છે. અપરા એકાદશી સમગ્ર દેશમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ઉજવવામાં આવે છે.
ભૂલથી પણ આ ભૂલ ન કરવી
અપરા એકાદશીનું મહત્વ