31 August, 2019 08:08 AM IST | મુંબઈ
મનીષ પૉલ અને પ્રિન્સ નરૂલા
સ્ટાર પ્લસ પર આવતો રિયલિટી શો ‘નચ બલિયે 9’ના હોસ્ટ મનીષ પૉલ અને સ્પર્ધક પ્રિન્સ નેરુલાએ વિઝ્યુઅલી ચૅલેન્જ બાળકોને દાન કર્યું છે. નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન શ્રીરંગ ચેરિટેબેલ ટ્રસ્ટના વિઝ્યુઅલી ચૅલેન્જ બાળકોએ ઇકો-ફ્રેન્ડ્લી ગણપતીની મુર્તિ બનાવી હતી. આ બાળકો જજ, સ્પર્ધક અને હોસ્ટને મળ્યાં હતાં. આ બાળકો કલર્સ ન ઓળખી શકતા હોવાથી રંગમાં વિવિધ સુંગંધનો સમાવેશ કરવામાં આવે છે, જેથી તેઓ કલરને ઓળખી શકે. તેમને આ મુર્તિ બનાવતા કેટલી મહેનત લાગે છે એ વિશે જાણીને દરેકની આંખ ભીની થઈ ગઈ હતી. મનીષ પૉલે તરત જ તેમને ૫૧૦૦૦ની મદદ કરવાની જાહેરાત કરી હતી તો સ્પર્ધક પ્રિન્સ નેરુલાએ પણ તેમને એક લાખની મદદ કરી હતી. આ સાથે જ અન્ય સ્પર્ધક અને જજ દ્વારા પણ તેમને સપોર્ટ કરવામાં આવશે એવી બાહેધરી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Saaho Movie Review:ઍક્શનનો આઇટમ-બૉમ્બ સ્ટોરીનું સુરસુરિયું