શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને મળી ગયા નવા દયા ભાભી ?

25 April, 2019 09:18 PM IST  | 

શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને મળી ગયા નવા દયા ભાભી ?

અમી ત્રિવેદી બનશે નવા દયાભાભી?

ટેલિવિઝનની સૌથી સફળ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માંથી દયાબેન ગડાનો રોલ નિભાવનારી દિશા વાકાણીના સીરિયલથી અલગ થયા પછી સતત આ રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, તારક મહેતાના નિર્માતાઓને તેમની આગામી દયાભાભી મળી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે ગુજરાતી એક્ટ્રેસ અમી ત્રિવેદીને દયા ભાભીના રોલ માટે સાઈન કરવામાં આવ્યા છે પરંતું આ વિશે કોઈ પણ આધિકારિક પૃષ્ટી કરવામાં આવી નથી.

એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે, અમી ત્રિવેદીને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વિશે અમી ત્રિવેદી સાથેએ વાત કરતા કહ્યું હતું કે, આ વિશે તેમને કોઈ પણ માહિતી મળી નથી. પસંદગી તો દૂર હજુ આ રોલ માટે મારો સંપર્ક પણ કરવામાં આવ્યો નથી. અમી ત્રિવેદીએ કહ્યું હતું કે જો તેમને ઓફર આપવામાં આવે તો તે આ રોલ જરુર કરશે.

 

આ પણ વાંચો: તારક મહેતાના મેકર્સ હવે નહીં જુએ દિશાની રાહ, શોમાં થશે નવી એંટ્રી

 

અમી ત્રિવેદી ગુજરાતી ઘણી ગુજરાતી સીરિયલ્સ માટે કામ કરી ચૂકી છે. આ સિવાય તેમને ઘણા ફેમસ નાટકોમાં પણ કામ કર્યું છે. ગુજરાતી અભિનેત્રી અમી ત્રિવેદી 'પાપડપોળ', 'સજન રે જૂઠ મત બોલો', 'ચિડિયાઘર' જેવી ઘણી સારી સીરિયલ્સમાં કામ કર્યુ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગુજરાતી ફેમ દયાભાભી એટલે કે દિશા વાકાણી ગયા વર્ષે મેટરનીટી લીવ પર ગયા હતા ત્યારબાદ તે પાછા શૉ સાથે જોડાયા નથી.