માતા બન્યા પછી બદલાયું એક્તા કપૂરનું રૂટિન

21 February, 2019 07:05 PM IST  | 

માતા બન્યા પછી બદલાયું એક્તા કપૂરનું રૂટિન

એકતા કપૂર (ફાઈલ ફોટો)

ટીવી ક્વીન એકતા કપૂર, જે તાજેતરમાં જ એક બાળકની માતા બની છે. એકતા કપૂરે પોતાના રુટિન વિશે વાત કરી કે તે કઈ રીતે એક સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરે છે. જો કે માતા બન્યા બાદ એક્તા કપૂરના જીવનમાં પણ ફેરફાર આવ્યો છે. એક ઈવેન્ટ દરમિયાન એક્તા કપૂરે પોતે આ વાત સ્વીકારી છે.

દિગ્ગજ અભિનેતા રોનિત રૉય અને મોના સિંહની 'કહને કો હમસફર હે'ની સિક્વલ આવી રહી છે, જે ઑલ્ટ બાલાજી પ્રસ્તુત કરે છે. એક્તા કપૂર હાલ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ શોએ પહેલી સીઝનમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તો બીજી સીઝનમાં પ્રેમ અને જીવનથી પર એવું એક રસપ્રદ પાસું રજૂ કરાયું છે. એક્તાએ પણ કહ્યું કે અનેક સ્ત્રીઓ આ પાત્રો સાથે રિલેટ કરી શક્શે. આ જ શોની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન એક્તા કપૂરે સ્વીકાર્યું કે માતા બન્યા બાદ તેમનું રૂટિન બદલાયું છે.

આ પણ વાંચો : મા બન્યા પછી એકતા કપૂરે લખ્યો ઈમોશનલ મેસેજ

તો શોની સ્ટોરી વિશે વાત કરતા એક્તા કપૂરે કહ્યું,'સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રીને પ્રેમ કરવો સરળ છે પણ તેની સાથે લગ્ન કરવા જુદી જ બાબત છે અને આવું જ આ શોમાં દર્શાવવામાં આવ્યું છે. આ સીઝનમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે જે તમે પામવા ઈચ્છો છો તેને મેળવી લીધા પછી પણ તમે ખુશ રહી શકો છો? આ સીક્વલ સૂક્ષ્મતાથી પરિપક્વ સંબંધોની જટિલતાઓને વણી લે છે.'

ekta kapoor bollywood bollywood gossips television news