અમ્રિતસરી હોવાથી કૉમેડી મારામાં નૅચરલી આવે છે: ભારતી સિંહ

22 August, 2019 12:14 PM IST  |  મુંબઈ

અમ્રિતસરી હોવાથી કૉમેડી મારામાં નૅચરલી આવે છે: ભારતી સિંહ

ભારતી સિંહ

કૉમેડિયન ભારતી સિંહનું કહેવું છે કે તેનામાં કૉમેડી નેચરલી આવી જાય છે. તે હાલમાં ‘ખતરા ખતરા ખતરા’માં કામ કરી રહી છે. આ સાથે જ તે ઘણીવાર ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળી છે. કૉમેડી વિશે પૂછતાં ભારતીએ કહ્યું હતું કે ‘એક અમ્રિતસરી હોવાથી કૉમેડી મારામાં આપોઆપ આવે છે.

આ પણ વાંચો : આજના જમાનામાં સેક્સીનો અર્થ રિવીલિંગ થાય છે : અલ્કા યાજ્ઞિક

મને લાગે છે કે એ મારા લોહીમાં જ છે. હું હંમેશાં કૉમેડી કરતી રહીશ, કારણ કે આ સ્ટ્રેસ ભરી દુનિયામાં લોકોને હસાવવા માટેનું માધ્યમ બનવાથી મોટી કોઈ વાત નથી. હું પંજાબી હોવાથી દરેક વસ્તુ ખૂબ જ હળવાશથી અને હસતાં-હસતાં લઉ છું.’

bharti singh television news