22 March, 2020 08:00 PM IST | Mumbai | Rachana Joshi
જનતા ક્ફર્યુને ઢોલિવુડના સેલેબ્ઝનું સમર્થન
કોરોનાનો પ્રભાવ દિવસેને દિવસે જે રીતે વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાને આજે (રવિવારે) આખા ભારતમાં 'જનતા ક્ફર્યુ' જાહેર કરાયુ હતું અને સમ્રગ દેશની સાથે ઢોલિવુડના સેલેબ્ઝે પણ આ ક્ફર્યુને સંપુર્ણ સમર્થન આપ્યું હતું. તેઓ છેલ્લા કેટલાય દિવસથી તેમના ફૅન્સને સાવચેત અને સલામત રાખવાની સલાહ તેમના સોશ્યલ મિડિયા દ્વારા આપતા જ હતા. આજે સાંજે પાંચ વાગે જ્યારે કોરોનાના લડવૈયાઓને બિરદાવવાના હતા ત્યારે મલ્હાર ઠાકર, સિધ્ધાર્થ રાંદેરિયા, માનસી પારેખ, પાર્થિવ ગોહિલ, ગીતા રબારી, વિરલ શાહ, આરોહી પટેલ, મનન દેસાઈ, ઓજસ રાવલ, ઈશા કંસારા, ચિરાયુ મિસ્ત્રી, જીનલ બેલાણી, પ્રતિક ગાંધી, મોનલ ગજ્જર સહિત અનેક ગુજરાતી સેલેબ્ઝે કોરોનાના લડવૈયાને બિરદાવ્યા હતા અને આ મહામારીમાંથી આપણા દેશને જલદી છુટકારો મળે તેવી પ્રાર્થના પણ કરી હતી.