નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં શું છે?

20 November, 2020 08:28 PM IST  |  Ahmedabad | Nirali Dave

નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં શું છે?

નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ અનવર કા અજબ કિસ્સામાં શું છે?

૨૦૧૩માં લંડન અને કેરળ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થયેલી જાણીતા બંગાળી ફિલ્મમેકર અને કવિ બુદ્ધદેબ દાસગુપ્તાની ડાર્ક કૉમેડી ફિલ્મ ‘અનવર કા અજબ કિસ્સા’ આજથી ઇરોઝ નાઉના ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ‘અનવર કા અજબ કિસ્સા’માં અનવર નામના વિચિત્ર સ્વભાવ ધરાવતા ડિટેક્ટિવની વાત છે જે પોતાની શૈલીથી કેસ સૉલ્વ કરે છે. તેને તેના પોતાના ગામડામાં અનમોલ નામના એક વ્યક્તિનો કેસ સોંપાય છે અને વાર્તામાં વળાંક આવે છે. સાથે સાથે તેના આયેશા નામની છોકરી સાથે પ્રણયની વાર્તા પણ આગળ વધે છે.

ડ્રામૅટિક રીતે સુખ-દુઃખની વાત રજૂ કરતી તથા માનવમગજની સુંદરતા અને અટપટા સ્વભાવને ઉજાગર કરતી ‘અનવર કા અજબ કિસ્સા’માં ડિટેક્ટિવ અનવર તરીકે નવાઝુદ્દીન સિદ્દીકી અને અનમોલ તરીકે પંકજ ત્રિપાઠી જોવા મળશે, તો અનવરની પ્રેમિકા આયેશાના પાત્રમાં મિસ અર્થ ઇન્ડિયા રહી ચૂકેલી ઍક્ટ્રેસ નિહારિકા સિંહ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં નવાઝુદ્દી સિદ્દીકી અને પંકજ ત્રિપાઠી આજ જેટલા લોકપ્રિય કલાકારો નહોતા. કોરોના વાઇરસને કારણે થિયેટરો બંધ રહેતાં લોકો ઓટીટી પ્લૅટફૉર્મ તરફ વળ્યા અને આમ પણ આ પ્રકારની ફિલ્મો માટે થિયેટર-રિલીઝ અઘરી પડે છે ત્યારે મેકર્સનો સીધા ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય યોગ્ય છે.

bollywood bollywood news bollywood gossips nawazuddin siddiqui pankaj tripathi