રિશી કપૂરના નિધનને લીધે આ વર્ષે જિતેન્દ્રના ઘરે નહીં મનાવાય દિવાળી

12 November, 2020 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રિશી કપૂરના નિધનને લીધે આ વર્ષે જિતેન્દ્રના ઘરે નહીં મનાવાય દિવાળી

જીતેન્દ્ર

તુષાર કપૂરે જણાવ્યું છે કે રિશી કપૂરના નિધનને કારણે આ વર્ષે અમારા ઘરે દિવાળીની પાર્ટી નહીં યોજાશે. આ અગાઉ એકતા કપૂરે પણ દિવાળીની પાર્ટી ન રાખવાની જાહેરાત કરી હતી. જિતેન્દ્ર અને રિશી કપૂર ખાસ ફ્રેન્ડ હતા. એ વિશે તુષાર કપૂરે કહ્યું હતું કે ‘અમારી ફૅમિલીના પ્રિય ફ્રેન્ડ એવા રિશી કપૂરજીના અકાળ અવસાનને કારણે દર વર્ષની જેમ આ વર્ષે અમારા ઘરે દિવાળીની પાર્ટી રાખવામાં નહીં આવે. સાથે જ મહામારી પણ એક કારણ છે. આ તહેવારોમાં ફૅમિલી સાથે સમય પસાર કરવામાં આવશે. હું તો મારી ફિલ્મ ‘લક્ષ્મી’ને કારણે વ્યસ્ત છું, જે હાલમાં જ રિલીઝ થઈ છે. મારા દીકરાનું તો વેકેશન છે, એથી હું તેની સાથે જ વધુ સમય પસાર કરું છું. આ વખતની દિવાળી હૅપી થાય એ જરૂરી છે પરંતુ અલગ રીતે, જેમાં ઓછા લોકોની હાજરી હોય. જોકે જોશ તો કાયમ રહેશે જ, કારણ કે આપણે તહેવાર ઘર-પરિવાર સાથે મનાવવાના છીએ.’

bollywood bollywood news bollywood gossips entertainment news rishi kapoor