22 September, 2020 09:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
સુશાંત સિંહ રાજપૂત કેસમાં દિયા મિર્ઝાનું નામ આવતા ટ્વીટર ઉપર તેણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ડ્રગ ચાર્જિસને પાયાવિહોણા ગણાવીને આ મુદ્દે ત્રણ ટ્વીટ કર્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, દિયા મિર્ઝા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના રડારમાં છે. આગળ જતા તેને પણ એનસીબી નોટિસ ફટકારી શકે છે.
અભિનેત્રીએ તેના અધિકૃત ટ્વીટર હેન્ડલમાં કહ્યું કે, આ સમાચાર, ખોટા, પાયાવિહોણા અને મારી છબી ખરાબ કરવાના ઈરાદાથી પ્રસરી રહ્યા છે.
અમૂક વ્યર્થ રિપોર્ટિંગથી મારી પ્રતિષ્ઠા ઉપર સીધી પ્રતિકૂળ અસર પડે છે અને જે વર્ષો સુધી મહેનત કરીને કૅરિયર બનાવ્યું છે તેને હાનિ પહોચાડી શકે છે.
અન્ય એક ટ્વીટમાં દિયા મિર્ઝાએ કહ્યું કે, મે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો નશો કર્યો નથી. એક ભારતીય નાગરિક તરીકે મારા પણ અમૂક કાયદાકીય હક્ક છે. હું મારા સપોટર્સનો આભાર માનું છે જે મારી પડખે ઉભા છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ઘણાં ફિલ્મી સિતારાના નામ જોડાઇ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહની કહેવાતી એક ચૅટમાં D અને Kનામનો ઉલ્લેખ છે. NCBના સૂત્રો પ્રમાણે, Dનો અર્થ દીપિકા પાદુકોણ અને Kનો અર્થ છે કરિશ્મા (જયાની એસોસિએટ).
નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સુશાંત સિંહની એક્સ મેનેજર શ્રુતિ મોદી અને તેની 'ટેલેન્ટ મેનેજર' જયા સાહાને સોમવારે એજન્સીની ઑફિસમાં હાજર થવા કહ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે જયા સાહા બપોરે લગભગ 2 વાગ્યે દક્ષિણ મુંબઇમાં આવેલી એનસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની ઑફિસ પહોંચી.