'ઉરી' અને 'કબીર સિંહ' બાદ 'છિછોરે'એ ત્રીજા વીકએન્ડમાં કરી સૌથી વધુ કમાણ

24 September, 2019 02:36 PM IST  |  મુંબઈ

'ઉરી' અને 'કબીર સિંહ' બાદ 'છિછોરે'એ ત્રીજા વીકએન્ડમાં કરી સૌથી વધુ કમાણ

દંગલના જાણીતા ડિરેક્ટર નીતેશ તિવારીની ફિલ્મ 'છિછોરે' ત્રીજા વીક એન્ડમાં થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક અને કબીર સિંહ બાદ છિછોરે વર્ષ 2019ની વધુ એક એવી ફિલ્મ બની ગઈ છે જેણે ત્રીજા વીકએન્ડમાં સૌથી વધુ કમાણી કરી છે. એટલે ત્રીજા વીક એન્ડ સાથે ફિલ્મ કુલ 120 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. તો ત્રીજા વીક એન્ડમાં 14.75 લાખની કમાણી કરી ચૂકી છે. છિછોરે હવે ગલી બૉયના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાને પાર કરવાની તૈયારીમાં છે. જે લગભગ 134 કરોડ રૂપિયાના બિઝનેસ સાથે નવમા નંબરની ઉચ્ચતમ ગ્રોસર ફિલ્મ છે.

સાજિદ નડિયાદવાલાની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'સુપર 30' પણ સંજોગોવશાત્ શિક્ષણ પર જ આધારિત ફિલ્મ હતી. બંને ફિલ્મોને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ બેનર અંતર્ગત બનાવવામાં આવી છે. જેનો અર્થ છે કે સાજિદ નડિયાદવાલા બે મહિનામાં જ બે શિક્ષણ આધારિત હિટ ફિલ્મ આપવામાં સફળ રહ્યા છે.

છિછોરેનો કોલેજ ડ્રામા દર્શકોને પોતાની યુવાનોના દિવસ યાદ કરાવવામાં સફળ રહ્યો છે. આ જ કારણે ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. પરિણામે ફિલ્મ બોક્સ ઓફિસ પર હજીય કમાણી કરી રહી છે. એટલું જ નહીં ફિલ્મની હ્રદયસ્પર્શી સ્ટોરી પણ વખણાઈ રહી છે.

જુડવા 2 અને બાગી 2 જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ સાજિદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે મળીને છિછોરે લઈને આવ્યા હતા.

sushant singh rajput nitesh tiwari shraddha kapoor bollywood