ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે અવસાન

30 November, 2022 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે

પ્રતીકાત્મક તસવીર

ટોયોટા કિર્લોસ્કર મોટર (Toyota Kirloskar Motor)ના વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કર (Vikram S. Kirloskar)નું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.

આજે (બુધવાર) બપોરે 1 વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે “વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ.”

બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે કહ્યું કે, “વિક્રમના અકાળે અવસાનથી હું આઘાતમાં છે. આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”

આ પણ વાંચો: ચાઇનીઝ અને રેસ્ટથી ક્રૂડ કૉમોડિટી અને વિશ્વ બજારો બેબાકળાં બન્યાં

business news toyota