19 July, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ગયા વર્ષે માર્ચની હીટવેવ, રશિયા-યુક્રેનના સંઘર્ષની સાથે-સાથે એની મુખ્ય અનાજની જરૂરિયાતો માટે ઘઉં પર દેશની નિર્ભરતા વિશે ચિંતાઓ ઊભી કરી છે. માર્ચમાં આવેલા પ્રતિકૂળ હવામાને આ અત્યંત સંવેદનશીલ પાકની લણણીને અસર કરી હતી અને રશિયા-યુક્રેનની કટોકટીને કારણે આંતરરાષ્ટ્રીય પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે વૈશ્વિક ઘઉંનો પુરવઠો મર્યાદિત થયો હતો અને ભાવમાં વધારો થયો હતો.
આ સમયે એક નવા સંશોધન પેપરમાં કહેવામાં આવ્યું છે કે પરંપરાગત રીતે ઉગાડવામાં આવતી જુવાર આબોહવા પરિવર્તન માટે એની સ્થિતિસ્થાપકતાને કારણે ઘઉંનો એક આદર્શ વિકલ્પ બની શકે છે.
વર્ષ ૨૦૦૦ના દાયકાના પ્રારંભથી ઉત્પાદનમાં ૪૦ ટકાના જંગી વધારા સાથે - વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતમાં સૂકા હવામાનમાં આ વિકલ્પ બની શકે છે એમ સંશોધન અહેવાલમાં જણાવાયું છે.
જોકે વધતા તાપમાને પાકની ગરમી પ્રત્યેની સંવેદનશીલતા વિશે ચિંતાઓ ઊભી કરી છે, જેને કારણે પાણીની વધુ જરૂરિયાત વધી છે. બીજી બાજુ જુવાર, અંદાજિત આબોહવા પરિવર્તનો માટે માત્ર વધુ સ્થિતિસ્થાપક નથી, પણ એને ઘણા ઓછા પાણીની જરૂર પડે છે.
નેચરના સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા વિશ્લેષણમાં ઘઉં અને જુવારની ઊપજની સંવેદનશીલતા તાપમાનમાં વધારો અને વિવિધ પરિસ્થિતિઓ હેઠળ પાણીની જરૂરિયાતોની તુલના કરવામાં આવી હતી.
ભારતમાં ઘઉંની ખેતી કેવી રીતે કરવામાં આવે છે એના સંચાલનમાં વ્યવહારિક ફેરફારો કર્યા વિના, ઊપજમાં પાંચ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. અભ્યાસમાં ભવિષ્યનાં આબોહવા અનુમાનોનું વિશ્લેષણ કર્યા પછી દલીલ કરવામાં આવી છે. એ કિસ્સામાં, જુવાર એ જ આબોહવા અનુમાન સાથે એના જળ ફુટપ્રિન્ટમાં નજીવા ચાર ટકાના વધારા સાથે ભારતનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે એમ છે.
આ અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટી, યુએસના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો; ચિની ઍકૅડેમી ઑફ ઍગ્રિકલ્ચરલ સાયન્સ; ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ; યુનિવર્સિટી ઑફ ડેલવેર, યુએસ; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, બૉમ્બે; યેલ યુનિવર્સિટી, યુએસ અને વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી-અમેરિકાનાં સંયુક્ત રિસર્ચનું તારણ છે.