16 August, 2020 02:57 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચૅરમેન મુકેશ અંબાણી(Chairman Mukesh Ambani)એ શનિવારે કોરોના વાયરસ પર એક પુસ્તકના લોકાર્પણના અવસરે કહ્યું કે આધુનિક ઇતિહાસમાં કોવિડ-19 (Covid-19)સૌથી વિનાશકારી ઘટના છે અને આ વિરુદ્ધ લડાઇમાં વૈશ્વિક સ્તરે 'સહકાર અને સહયોગપૂર્ણ' પ્રયત્નોની જરૂરિયાત છે. અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી(Nita Ambani)એ જિયોમીટ(JioMeet) દ્વારા પુસ્તક 'ધ કોરોના વાયરસ: વ્હોટ યૂ નીડ ટૂ નો અબાઉટ ધ ગ્લોબલ પેન્ડેમિક'(The Coronavirus : what you need to know about the global pendemic)નું ઇ-લોકાર્પણ કર્યું.
આ પુસ્તક આંતરિક ચિકિત્સા વિશેષજ્ઞ ડૉ. સ્વપ્નિલ પરિખ, મનોવૈજ્ઞાનિક મહેરા દેસાઇ અને તંત્રિકા ચિકિત્સક ડૉ. રાજેશ એમ પારિખે લખ્યું છે અને પેન્ગ્વિન રેન્ડમ હાઉસે પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં આ મહામારીના ઇતિહાસ, વિકાસ, તથ્યો અને મિથ વિશે જણાવવામાં આવ્યું છે. આ અવસરે અંબાણીએ કહ્યું કે આમાં કોઇ શંકા નથી કે કોવિડ-19 મહામારી આધુનિક ઇતિહાસની સૌથી વિનાશકારી ઘટના છે. આ સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટ અને અભૂતપૂર્વ આર્થિક સંકટ બન્ને છે.
મુકેશ અંબાણીએ ઇ-લોકાર્પણ દરમિયાન કહ્યું કે, "બધાં દેશ એકસાથે મળીને આ પરિણામ ભોગવી રહ્યા છે. તેથી વિશ્વને બધાંના સહયોગ અને સાથની જરૂરિયાત છે." નીતા અંબાણીએ કહ્યું કે મહામારીને કારણે આ સમય અભૂતપૂર્વ ભય, શોક અને અનિશ્ચિતતાનો રહ્યો અને આ પુસ્તક ખૂબ જ મહત્વપૂર્ણ અને સમ સામયિક છે.