23 March, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી
કૉર્પોરેટ ગવર્નન્સ અને અકાઉન્ટિંગ ફ્રૉડ વિશેની ચિંતાઓને કારણે ગૌતમ અદાણીના નસીબને ભારે આંચકો લાગ્યો છે, જેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ અમદાવાદના ઉદ્યોગપતિની જગ્યાએ સૌથી ધનિક ભારતીય તરીકે સ્થાન લીધું છે.
અદાણીએ દર અઠવાડિયે ૩૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે અને તેમની એકંદર નેટવર્થ એની ટોચથી ૬૦ ટકા ઘટી છે. એમ3એમ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ, જેણે માર્ચના મધ્ય સુધીમાં અદાણીની કુલ સંપત્તિ ૫૩ અબજ ડૉલર હોવાનું અનુમાન કર્યું હતું.
અંબાણીની સંપત્તિમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ અદાણીને સૌથી ધનિક ભારતીય તરીકે સ્થાનાંતરિત કરી શકે છે, કારણ કે તેમની નેટવર્થ ૨૦ ટકા ઘટીને ૮૨ અબજ ડૉલરની થઈ હતી.
અગાઉ, યુએસસ્થિત શૉર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર મોટા પાયે અકાઉન્ટિંગમાં છેતરપિંડી અને સ્ટૉકની હેરાફેરીનો આરોપ મૂકતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેના કારણે ગંભીર ચિંતાઓ અને અદાણી જૂથની કંપનીઓના શૅરના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના સંગઠને આ આરોપોને નકારી કાઢ્યા છે.
સંપત્તિમાં થયેલા ઘટાડાને કારણે અદાણી અને અંબાણી બન્ને વૈશ્વિક અબજોપતિઓની રૅન્કિંગમાં નીચે આવી ગયા છે. અગાઉના ટોચથી ૧૧ સ્થાન નીચે જઈને વિશ્વના ૨૩મા સૌથી ધનિક છે અને બાદમાં વિશ્વના સૌથી ધનિકોમાં નવમા ક્રમે આવી ગયા છે.