Income Tax: ખુશખબર.. સરકાર 1 એપ્રિલથી ટેક્સપેયર્સને આપવા જઈ રહી છે આ મોટી રાહત

27 March, 2023 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Income Tax Slab Change: 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની પાછળ સરકારનો હેતુ વધુ ને વધુ ટેક્સપેયર્સ ન્યૂ ટેક્સ રિજીમને સ્વીકારે.

નિર્મલા સીતારમણ (તસવીર સૌજન્ય મિડ-ડે)

Income Tax Slab Change: 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની પાછળ સરકારનો હેતુ વધુ ને વધુ ટેક્સપેયર્સ ન્યૂ ટેક્સ રિજીમને સ્વીકારે.

Income Tax Slab Change: સરકારે બજેટ 2023ની જાહેરાતમાં ન્યૂ ટેક્સ રિઝીમને સ્વીકારનારા ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ 2023 (Budget 2023) રજૂ કરવા દરમિયાન ઈનકમ ટેક્સ સ્લેબ (Income Tax Slabs)માં ફેરફારની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવી કર વ્યવસ્થા (New Income Tax Regime) હેઠળ ટેક્સેબલ ઈનકમ (Taxable Income)ને વધારીને 3 લાખ રૂપિયા કરી દીધું છે. આનો અર્થ એ થાય છે કે 3 લાખ રૂપિયા સુધીની આવકવાલા બધાએ ઈનકમ ટેક્સ નહીં આપવું પડે.

આની સાથે જ હવે 7 લાખથી ઓછી આવકવાળાઓને કોઈપણ ઈનકમ ટેક્સ નહીં આપવો પડે. જો કે, આ લાભ માત્ર ન્યૂ ટેક્સ રિજીમ (New Tax regime)ની પસંદગી કરનારા ટેક્સપેયર્સને મળશે. નવા ટેક્સ રિજીમ હેઠળ ટેક્સપેયર્સને રાહત મળે છે.

આ પણ વાંચો : સાવરકર માલમે ઉદ્ધવ બાદ હવે બોલ્યા સંજય રાઉત- હું દિલ્હી જઈને રાહુલ ગાંધીને...

જણાવવાનું કે નવા ટેક્સ રિજીમ હેઠળ જો કોઈ ટેક્સપેયરની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા છે તે તેમણે કોઈ ટેક્સ નહીં ભરવો પડે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે ન્યૂ ટેક્સ રિજીમમાં ફેરફાર કરતી વખતે 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. સરકારે ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સમાંથી બહાર રાખી છે. 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવા પાછળ સરકારનો હેતુ છે કે વધુ ને વધુ ટેક્સપેયર્સ નવી ટેક્સ રિજીમનો સ્વીકાર કરે.

business news income tax department nirmala sitharaman