પરમાણુ અધિકારોને જતા કરવાની ઈરાની રાષ્ટ્રપતિની સ્પષ્ટ ના

20 April, 2026 11:23 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

પરમાણુ અધિકારોને જતા કરવાની ઈરાની રાષ્ટ્રપતિની સ્પષ્ટ ના, કહ્યું…ટ્રમ્પ કોણ છે અમારી પાસેથી પરમાણુ અધિકાર છીનવવાવાળા?

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયા

૨૧ એપ્રિલે સીઝફાયર ખતમ થવાના આરે છે અને બીજા તબક્કાની શાંતિમંત્રણાની વાતો પણ ચાલી રહી છે ત્યારે ઈરાને ફરીથી પોતાના પરમાણુ અધિકારોને જતા કરવાની વાતનો અસ્વીકાર કર્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને રવિવારે એક ઈરાની ન્યુઝ-એજન્સીને કહ્યું હતું કે ‘ટ્રમ્પ કહે છે કે ઈરાન એના પરમાણુ અધિકારો ન વાપરી શકે, પરંતુ એ નથી કહેતા કે ગયા ગુનાસર? તેઓ કોણ છે કોઈ દેશને એના અધિકારોથી વંચિત કરવાવાળા? ઈરાન યુદ્ધ કરવા નથી માગતું, માત્ર આત્મરક્ષા માટે જ પગલાં લઈ રહ્યું છે.’

ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના રહેવાસી વિસ્તારોને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમના હુમલાઓ બતાવે છે કે તેઓ કેટલા હતાશ થઈ ચૂક્યા છે. ઈરાની સેનાએ ખૂબ મોટી તાકાતોના દબાવ અને ભારે ખતરા છતાં મજબૂતીથી સામનો કર્યો છે.’ 

international news world news iran israel united states of america middle east crisis