16 December, 2023 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આવું તાજેતરમાં જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં છપાયેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે અવાકાડોથી શરીરમાં મેટાબોલિક બાયોમાર્કર ઍક્ટિવેટ થાય છે જે ભૂખ્યા પેટે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન હૉર્મોન બન્ને પર અસર કરે છે. એને કારણે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ હોય એવા દરદીઓને અવાકાડો ખાવાથી ચયાપચય સુધરતાં બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહેવાનું શરૂ થાય છે. અલબત્ત, અવાકાડો ખાવાથી તરત બ્લડ શુગરમાં ઘટાડો નોંધાતો હોય એવું નથી, પરંતુ એનાથી ફાસ્ટિંગ ઇન્સ્યુલિનનું પ્રમાણ સુધરતું હોવાથી શુગરનું મેટાબોલિઝમ સુધરી શકે છે. આ અસર લાંબા ગાળે શરીરમાં જોવા મળે છે.