02 May, 2026 08:00 AM IST | Hangzhou | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચીનની એક કોર્ટે ચુકાદો આપ્યો છે કે કંપનીઓ ફક્ત ખર્ચ ઘટાડવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી કામદારોને કાઢી શકતી નથી. આ ચુકાદો એક એવા કેસ બાદ આવ્યો છે જ્યાં એક ટેક્નૉલોજી કંપનીએ એક કામદારને ફરીથી નોકરી પર રાખવા માટે તેના પગારમાં ભારે કાપ મૂકવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે તેણે નોકરી જૉઇન કરવાનો ઇનકાર કર્યો ત્યારે આખરે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કોર્ટે આ બરતરફીને ગેરકાયદે ઠેરવતાં કહ્યું હતું કે AI અપનાવવું એ વ્યાવસાયિક પસંદગી છે, યોગ્ય વિકલ્પો વિના કોઈને નોકરીમાંથી કાઢી મૂકવાનું માન્ય કાનૂની કારણ નથી.
આ ચુકાદો એ પણ સૂચવે છે કે કંપનીઓની જવાબદારી છે કે તેઓ ઑટોમેશન રજૂ થાય ત્યારે કર્મચારીઓને ફક્ત કાઢી નાખવાને બદલે ફરીથી તાલીમ આપે અથવા વાજબી રીતે ફરીથી નોકરીમાં કામ આપે. આ કેસ યાદ અપાવે છે કે AI ઝડપથી વિકસી રહ્યું હોવા છતાં કાર્યક્ષેત્રે માનવીય પાસું હજી પણ મહત્ત્વપૂર્ણ છે.