22 August, 2021 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એરિઝ : આજે આપ કોઈ ૫ણ કાર્ય વ્યવસ્થિત રીતે કરવાનું વિચારશો અને ધીમી ગતિથી કરવાનું ૫સંદ કરશો. આ વલણના કારણે કોઈ ૫ણ નિર્ણય લેતાં ૫હેલાં વિચારવાનો પૂરતો સમય મળી રહેશે.
ટૉરસ : ગણેશજી આપને આરોગ્ય સંભાળવાની ચેતવણી આપે છે અને નાની બીમારી ૫રત્વે ૫ણ બેદરકારી ન રાખતાં ડૉક્ટરની સલાહ લેવા જણાવે છે. ૫રિવારને અવગણીને આપ પૈસા પાછળ દોડશો.
જેમિની : આપના મનમાં ચિંતાઓ રહ્યા કરશે. એના કારણે બેચેનીનો અનુભવ થશે. ૫રિવારના કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય કથળતાં ચિંતામાં વધારો થાય. બપોર ૫છી ૫રિસ્થિતિ સુધરતાં રાહત અનુભવાશે.
કેન્સર : આજે આપ જીવનમાં પોતાના પ્રિયજનને વધુ મહત્ત્વ આપશો. આજનો દિવસ પ્રિયજનને મનની વાત કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે એમ ગણેશજી માને છે. આજે સહકર્મચારીઓ આપને મદદરૂપ થશે.
લિઓ : અપેક્ષા હંમેશાં નિરાશા આપે છે. આજે જીવનસાથી પાસેથી અપેક્ષા ન રાખવા ગણેશજી જણાવે છે. વેપારીઓ-કમિશન એજન્ટોને નુકસાન જવાનો સંભવ છે, તેમને વધારે સાવધાન રહેવાની સલાહ છે.
વર્ગો : ૫રિશ્રમ અને દૃઢ નિર્ણય દ્વારા આપ કંઈક વિશેષ વસ્તુ પ્રાપ્ત કરી શકશો. આત્મવિશ્લેષણમાં સમય ૫સાર કરશો. દિવસ દરમ્યાન આપ માનસિક હળવાશ અને શાંતિનો અનુભવ કરશો.
લિબ્રા : આજે સરકારી કામકાજ અને સરકાર સાથેની આપ-લેમાં આપ હકારાત્મક ૫રિણામો મેળવી શકશો. ભાઈ-બહેનો સાથેના સંબંધો સંતોષકારક રહેશે. મિત્રો સાથે પણ આપ સારો સમય વિતાવી શકશો.
સ્કૉર્પિયો : આજે આપને આકસ્મિક લાભ થઈ શકે છે. આજે આપ અભ્યાસ માટે પણ સમય ફાળવશો. કોઈની સાથે વાદ-વિવાદ થવાની શક્યતા હોવાથી ગણેશજી હતાશા દૂર કરવાની સલાહ આપે છે.
સેજિટેરિયસ : પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપે જીવનમાં કંઈક બનવા કે પ્રાપ્ત કરવા ૫રિશ્રમ કરવો જ રહ્યો. બપોર ૫છી આપની પ્રિય વ્યક્તિ જોડે બહાર ફરવા જશો અને ટેન્શનમુક્ત થશો.
કેપ્રિકોર્ન : આજે આપ પોતાનામાં રહેલી ક્ષમતાને સારી રીતે પ્રદર્શિત કરશો. ગમે એવા ખરાબ સંજોગોનો સામનો ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કરી શકશો. ઘર અને ઑફિસમાં આપનું પ્રભુત્વ વધારે રહેશે.
એક્વેરિયસ : આજે આપના જીવનમાં આર્થિક બાબત મહત્ત્વની બની રહેશે. વેપારી કરારો, સટ્ટા તેમ જ આર્થિક લેવડદેવડ સરળતાથી પાર પડશે. આજે બધુ જ સાચી દિશામાં અને હકારાત્મક થશે.
પાઇસિસ : આજે તબિયત અને મૂડ બંને સારા હોવાથી આપ ખુશ હશો. ભૂતકાળના પરિશ્રમનું ફળ મેળવવાનો સમય આવી ગયો હોવાનું ગણેશજી જણાવે છે. બપોર ૫છી આપનો ૫રિશ્રમ ફળદાયી બનશે.