Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > COVID-19 મહામારીને લીધે ધોની નિવૃત્ત થયો: યુઝવેન્દ્ર ચહલ

COVID-19 મહામારીને લીધે ધોની નિવૃત્ત થયો: યુઝવેન્દ્ર ચહલ

19 August, 2020 08:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

COVID-19 મહામારીને લીધે ધોની નિવૃત્ત થયો: યુઝવેન્દ્ર ચહલ

મહેન્દ્ર સિંહ ધોની, યુઝવેન્દ્ર ચહલ

મહેન્દ્ર સિંહ ધોની, યુઝવેન્દ્ર ચહલ


ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)એ 'કેપ્ટન કુલ' મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની નિવૃત્તિ પાછળનું કારણ વર્તમાન મહામારીનું આપ્યુ છે. તેણે કહ્યું કે, ધોનીને ટી-20 વર્લ્ડ કપ રમવુ હતું પરંતુ કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે રિટાયરમેન્ટ લીધી હતી.

ધોનીએ 15મી ઓગસ્ટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ધોનીની જાહેરાતના એક કલાક પછી સુરેશ રૈના (Suresh Raina) એ રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ધોનીએ છેલ્લી વનડે જુલાઈ 2019માં ન્યુઝીલૅન્ડ વિરુદ્ધ રમી હતી.



ચહલે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ધોનીની રિટાયરમેન્ટના ન્યૂઝ આઘાતનજક હતા. મારું માનવું છે કે તેમના આ નિર્ણય પાછળ કોરોનાની મોટી ભૂમિકા છે. નહીંતર ધોની ટી-20 વર્લ્ડ કપ રમવા માગતા હતા. મારી ઈચ્છા છે કે તે હજી પણ રમે કારણ કે તેમના લીધે જ હું અને કુલદીપ યાદવ સફળ થઈ શક્યા છીએ.


ચહલે ઉમેર્યું કે, વિકેટની પાછળથી એમણે અમારી ખૂબ મદદ કરી, જેનો અમને ફાયદો થયો. જો ધોની મેદાનમાં હોય તો અમારુ 50 ટકા કામ પહેલાથી જ થઈ જાય છે. ધોની પીચને સારી રીતે સમજી જતા હતા. તેમની ગેરહાજરીમાં અમારે પીચને સમજવા માટે ઓછામાં ઓછી બે ઓવર બોલીંગ કરવી પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2020 08:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK