COVID-19 મહામારીને લીધે ધોની નિવૃત્ત થયો: યુઝવેન્દ્ર ચહલ
મહેન્દ્ર સિંહ ધોની, યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)એ 'કેપ્ટન કુલ' મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની નિવૃત્તિ પાછળનું કારણ વર્તમાન મહામારીનું આપ્યુ છે. તેણે કહ્યું કે, ધોનીને ટી-20 વર્લ્ડ કપ રમવુ હતું પરંતુ કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે રિટાયરમેન્ટ લીધી હતી.
ધોનીએ 15મી ઓગસ્ટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ધોનીની જાહેરાતના એક કલાક પછી સુરેશ રૈના (Suresh Raina) એ રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ધોનીએ છેલ્લી વનડે જુલાઈ 2019માં ન્યુઝીલૅન્ડ વિરુદ્ધ રમી હતી.
ADVERTISEMENT
ચહલે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ધોનીની રિટાયરમેન્ટના ન્યૂઝ આઘાતનજક હતા. મારું માનવું છે કે તેમના આ નિર્ણય પાછળ કોરોનાની મોટી ભૂમિકા છે. નહીંતર ધોની ટી-20 વર્લ્ડ કપ રમવા માગતા હતા. મારી ઈચ્છા છે કે તે હજી પણ રમે કારણ કે તેમના લીધે જ હું અને કુલદીપ યાદવ સફળ થઈ શક્યા છીએ.
ચહલે ઉમેર્યું કે, વિકેટની પાછળથી એમણે અમારી ખૂબ મદદ કરી, જેનો અમને ફાયદો થયો. જો ધોની મેદાનમાં હોય તો અમારુ 50 ટકા કામ પહેલાથી જ થઈ જાય છે. ધોની પીચને સારી રીતે સમજી જતા હતા. તેમની ગેરહાજરીમાં અમારે પીચને સમજવા માટે ઓછામાં ઓછી બે ઓવર બોલીંગ કરવી પડે છે.