Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આખરે યુવરાજનો મળ્યો ખરીદદાર, મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો

આખરે યુવરાજનો મળ્યો ખરીદદાર, મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો

14 February, 2019 01:16 PM IST |

આખરે યુવરાજનો મળ્યો ખરીદદાર, મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો

IPL 2019 માટે થઇ નિલામી

IPL 2019 માટે થઇ નિલામી


આગામી વર્ષે થનારા IPLની 12મી સિઝન માટે જયપુરમાં નિલામી થઈ. જેમાં યુવરાજ સિંહને મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો. આ નીલામીમાં ગુજરાતી ખેલાડી જયદેવ ઉનડકટ 8 કરોડ 40 લાખમાં વેચાયા. સાથે જ વરુણ ચક્રવર્તીને પંજાબે 8 કરોડ 40 લાખમાં ખરીદ્યો. જેની સાથે આ બંને IPLમાં વેચાનારા સૌથી મોંઘા ખેલાડી બની ગયા. વિદેશી ખેલાડીઓમાં સૈમ કુર્રન વેચાયા. જેમને પંજાબે 7 કરોડ 20 લાખમાં ખરીદ્યા.

 



ઉનડકટ વેચાયો સૌથી મોંઘી કિંમતે



આઇપીએલની આ હરાજીમાં હજુ સુધી જયદેવ ઉનડકટ અને અનકેપ્ડ વરૂણ ચક્રવર્તી સૌથી મોંઘા ખેલાડીઓ રહ્યા. આ બંનેને અનુક્રમે 8 કરોડ ચાલીસ લાખમાં રાજસ્થાન અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ખરીદ્યા. ઉલ્લેખનીય છે કે ઉનડકટ ગયા વર્ષે પણ રાજસ્થાનની ટીમમાંથી જ રમ્યો હતો. તેને ગયા વર્ષે રાજસ્થાને 11.5 કરોડમાં ખરીદ્યો હતો.



મોહિત, અક્ષર અને બ્રેથવેટને મળ્યા 5-5 કરોડ

મોહિત શર્મા, કાર્લોસ બ્રેથવેટ અને અક્ષર પટેલ પાંચ-પાંચ કરોડમાં વેચાયા. મોહિતને ચેન્નાઈ, બ્રેથવેટને કોલકાતા અને અક્ષર પટેલને દિલ્હીએ ખરીદ્યો.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 01:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK