WORLD CUP 2019: આજે જાહેર થશે ટીમ, સિલેક્ટર્સ પર નજર
રવિન્દ્ર જાડેજા પર રહેશે નજર
ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2019 શરુ થવાની તૈયારીમાં છે. વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડમાં 30 મેથી શરુ થવાની છે. આ મહાકુંભને ધ્યાનમાં રાખીને બધા જ દેશે કમર કસી છે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને 15 એપ્રિલે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી રહી છે જો કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા જ સાફ કરી દીધુ છે કે ટીમની પસંદગી પહેલા જ કરવામાં આવી છે. વિરાટ કોહલના સ્ટેટમેન્ટ છતા પણ ટીમમાં ઘણા પ્લેયર્સ પર સવાલ છે જેમનું સિલેક્શન એક વિષય છે. જેમાંથી એક છે ગુજરાતી અને ભારતીય ટીમના ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાનું પણ નામ સામેલ છે.
રવિન્દ્ર જાડેજા પર રહેશે નજર
ADVERTISEMENT
જાડેજા એક સમયે ભારતીય વન-ડે ટીમનો રેગ્યુલર પ્લેયર છે પરંતુ કુલદીપ યાદવ અને યજુવેન્દ્રની ટીમમાં એન્ટ્રી અને ધમાકેદાર પરફોરમન્સના કારણે રવિન્દ્ર જાડેજાના સિલેક્શન પર પણ નજર રહેશે. રવિન્દ્ર જાડેજાનું ફોર્મ ઈંગ્લેન્ડમાં પણ જોરદાર છે જેને સિલેક્ટર્સ ધ્યાનમાં લેશે. આ સિવાય ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન મળશે. માનવામાં આવી રહ્યું છે કે કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાનું સ્થાન ટીમમાં ચોક્કસ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય વિજય શંકરને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. વિજય શંકર છેલ્લા ઘણા સમયથી સતત સારુ પ્રદર્શન આપી રહ્યો છે.
BCCI દ્વારા 15 એપ્રિલ એટલે કે સોમવારે જાહેર થવાની છે. આ પહેલા ભુતપૂર્વ સ્ટાર અને અટેકિંગ બેટ્સમેન સહેવાગે તેની ટીમ જાહેર કરી છે 2015ના મુકાબલે 7 પ્લેયર્સને રિપ્લેસ કરવામાં આવ્યા છે. સહેવાગ અનુસાર વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમ આ રીત રહેશે
આ પણ વાંચો: IPL 2019: આ છે એન્કર્સ જેમણે બનાવી દરેક સીઝનને હોટ
સહેવાગની વર્લ્ડ કપ 2019
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ધોની, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, કેદાર જાદવ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વિજય શંકર