વિશ્વકપ 2019: ભારત કરી શકે છે પાકિસ્તાનનો બહિષ્કાર
ભારત કરી શકે છે પાકિસ્તાનનો બહિષ્કાર
પુલવામાં આતંકીમાં ભારતીય સૈન્ય 40 જવાન શહીદ થયા છે. જ્યા એકતરફ પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો છે હવે વાત ક્રિકેટ જગત સુધી પહોંચી છે. સીમા પર તણાવના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. પરંતુ હવે રાજીવ શુક્લાએ આપેલા નિવેદન આપ્યું હતું જેના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ભારત વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરી શકે છે.
IPLના ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, 'ભારત મેદાન પર પણ પાકિસ્તાન સામે વિરોધ દર્શાવશે. બીસીસીઆઈની પોલીસી સ્પષ્ટ છે, જ્યા સુધી સરકાર મંજૂરી નહી આપે ત્યા સુધી પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર કોઈ નિર્ણય લેવામાં આવશે નહી. હાલ એ નક્કી નથી કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં રમશે કે નહી.' ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 6 વર્ષથી કોઈ પણ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: મેદાન પર નહીં જોવા મળે ગેલ, મિસ કરશો ગૅલના શોટ્સ અને ડાન્સ
પુલવામા અટેકને ધ્યાનમાં રાખતા રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, દેશનો ગુસ્સો વ્યાજબી છે અને લોકો આ જ રીતે પ્રતિક્રિયા આપશે. પાકિસ્તાને આતંકવાદનું સમર્થન ના કરવું જોઇએ.' ઉલ્લેખનીય છે કે, 30 મેથી ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વર્લ્ડ કપમાં 16 જૂનના ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે જેનો ભારત બહિષ્કાર કરી શકે છે.