Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શું લક્ષ્મણની ભવિષ્યવાણી સાચી પડશે?

શું લક્ષ્મણની ભવિષ્યવાણી સાચી પડશે?

10 November, 2019 09:50 AM IST | Mumbai

શું લક્ષ્મણની ભવિષ્યવાણી સાચી પડશે?

તસવીર સૌજન્યઃ PTI

તસવીર સૌજન્યઃ PTI


ભારત અને બંગલા દેશ વચ્ચે ચાલી રહેલી ત્રણ ટી૨૦ મૅચમાંની છેલ્લી મૅચ આજે નાગપુરમાં રમાશે. બન્ને ટીમ હાલમાં ૧-૧ની બરાબરી પર છે અને બન્ને ટીમ પોતપોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપીને સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે.
વિદર્ભ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં રમાનારી આ ત્રીજી અને અંતિમ ટી૨૦ મૅચમાં રોહિત શર્માની ટીમ રાજકોટની જેમ વિક્ટરી મેળવવા માગશે. હરીફ ટીમના કૅપ્ટન મહમ્મુદુલ્લાહને આશા છે કે તેની ટીમના આ બોલરો ખાસ કરીને સ્પિનરો સારો પર્ફોર્મન્સ કરશે. જોકે રોહિતની ઇચ્છા છે કે તેની ટીમના પેસરો આ મૅચમાં એ કામ કરી બતાવે જે અત્યાર સુધીની બે મૅચમાં નથી કરી શક્યા. આ મૅચમાં શાર્દુલ ઠાકુરને રમાડવામાં આવશે એવી પણ ચર્ચા છે. આ ઉપરાંત ફીલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ટીમ ઇન્ડિયા કેટલાક સુધારા કરવા તરફ ધ્યાન આપશે. રિષભ પંત દ્વારા કોઈ ભૂલ ન થાય ‍એવી ચાહકો પણ આશા રાખી રહ્યા છે.
આ ટી૨૦ શરૂ થતાં પહેલાં વીવીએસ લક્ષ્મણે આ સિરીઝ ભારત ૨-૧થી જીતશે એવી ભવિષ્યવાણી કરી હતી. હવે એ આજે સાચી પડે છે કે નહીં એની તો મૅચ પૂરી થયા બાદ જ ખબર પડશે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 09:50 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK