Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાહુલ અને પંતમાંથી કોને લેવો એ કોહલીનો વિષય છે : ગાંગુલી

રાહુલ અને પંતમાંથી કોને લેવો એ કોહલીનો વિષય છે : ગાંગુલી

26 January, 2020 01:03 PM IST | Mumbai Desk

રાહુલ અને પંતમાંથી કોને લેવો એ કોહલીનો વિષય છે : ગાંગુલી

રાહુલ અને પંતમાંથી કોને લેવો એ કોહલીનો વિષય છે : ગાંગુલી


સૌરવ ગાંગુલીનું કહેવું છે કે રિષભ પંત અને લોકેશ રાહુલમાંથી કોને વિકેટકીપર તરીકે પસંદ કરવો એ વિરાટ કોહલીનો વિષય છે. ઈજાગ્રસ્ત થતાં પંતના સ્થાને વિકેટકીપિંગની જવાબદારી લોકેશ રાહુલને સોંપવામાં આવી છે. આ જવાબદારી તે સારી રીતે નિભાવી રહ્યો હોવાથી તેને જ હવે વિકેટકીપર રાખવા વિશે ચર્ચા ચાલી રહી છે. આના વિશે પૂછતાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘વન-ડે અને ટી૨૦માં રાહુલે ઘણું સારું પર્ફોર્મ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે સારી શરૂઆત કરી હતી, પણ એમાં તેનો પર્ફોર્મન્સ થોડો નબળો રહ્યો હતો. લિમિટેડ ઓવરમાં તે સારું રમી રહ્યો છે અને મને આશા છે કે આગળ પણ આવી રીતે જ રમતો રહેશે. રાહુલ વિશે શું નિર્ણય લેવો એ કોહલી નક્કી કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 01:03 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK